એક ચાવાળાએ PM મોદીને મોકલ્યો ₹ 100નો મનીઓર્ડર, કહ્યું ‘દાઢી બનાવી લો..જો કંઈ વધારવું જ હોય તો રોજગાર વધારો’

મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાઢી કરવા માટે 100 રુપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામની આ વ્યક્તિનું કહેવું છે કે, લોકડાઉનને કારણે અનેક લોકોનું કામ ઠપ્પ થઈ ગયું છે, રોજગાર બંધ થઈ ગયા છે. આ સ્થિતિમાં વડાપ્રધાને જો કંઈ વધારવું હોય તો તે રોજગારી વધારે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

તેમણે કહ્યું કે, હું મારી કમાણીમાંથી 100 રુપિયા મોકલી રહ્યો છું જેથી વડાપ્રધાન મોદી દાઢી બનાવી લે. તેમણે કંઈ વધારવું જ હોય તો દાઢી વધારવા કરતા રોજગાર વધારે. લોકોની સ્વાસ્થ્યની સુવિધા માટે વેક્સિનેશન સેન્ટર વધારે. લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરે.

ઉલ્લેખનીય છે કે અનિલ એક ખાનગી હોસ્પિટલની બહાર ચાની દુકાન ચલાવતા હતા. પાછલા દોઢ વર્ષથી લોકડાઉનને કારણે તેમનું કામ બંધ થઈ ગયું છે. પોતાની સમસ્યાથી કંટાળીને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધો જ પત્ર લખી કાઢ્યો અને તેમાં પોતાની માંગ રજૂ કરી.

અનિલ કહે છે કે, વડાપ્રધાન દેશના સર્વોચ્ચ નેતા છે. મારા મનમાં તેમના માટે સન્માનની ભાવના છે. તેમને પરેશાન કરવા એ મારો ઉદ્દેશ્ય નથી. પરંતુ લોકડાઉનને કારણે લાખો લોકો પરેશાન છે. તેમણે મની ઓર્ડરના માધ્યમથી 100 રુપિયા અને આ પત્ર મોકલ્યો છે. પત્રમાં તેમણે માંગ કરી છે કે, કોરોનાને કારણે જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પાંચ લાખ રુપિયાની મદદ આપવામાં આવે અને પ્રત્યેક પરિવારને 30,000 રુપિયાની મદદ આપવાની પણ માંગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો