ટાટા કંપનીની દરીયાદીલી: કોરોનાથી કર્મચારીઓનું મૃત્યુ થયું તો પરિવારને 60 વર્ષની ઊંમર સુધી મળતો રહેશે પગાર
કોઇ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિનું મોત થાય ત્યારે કંપની જે તે સમયે તો મદદ કરતી હોય પરંતુ તમે એવું સાંભળ્યુ છે કે વ્યક્તિનું મોત થાય છતાં તેનો પગાર તેની 60 વર્ષની ઉંમર સુધી પરિવારને આપવામાં આવે. આવું તો સરકારી નોકરીના પેન્શનમાં થાય છે પરંતુ તે પણ પૂરેપૂરો પગાર હોતો નથી. પરંતુ કોરોનાકાળમાં એક ભારતીય કંપનીએ આવી જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આપણા દેશમાં સૌથી ચર્ચામાં રહેતી કોઇ ખાનગી કંપની હોય તો તે રિલાયન્સ છે પરંતુ જો વધારે સન્માનની દૃષ્ટિએ જોવાતી હોય કે જે કંપનીમાં લોકો કામ કરવા માટે વધુ ઇચ્છા ધરાવતા હોય તો તે કંપની છે ટાટા. આ કંપનીએ વર્ષોથી પોતાની ઇમેજ એવી બનાવી છે કે ભારતમાં આ કંપનીમાંથી નોકરી છોડીને જનારા ખૂબ ઓછા લોકો હોય છે.
કોરોનાકાળમાં પણ આ કપનીએ એવી જાહેરાત કરી છે કે તમને માન થશે. ટાટા કંપનીએ કરેલી જાહેરાત મુજબ તેમની કંપનીનો કોઇ કર્મચારી જો કોરોનાથી મૃત્યું પામે છે તો તેના પરિવારને તે વ્યક્તિની રિટાયરમેન્ટ એટલે કે 60 વર્ષની ઊંમર સુધી પગાર સતત આપવામાં આવશે. આ તો ઠિક તે ઉપરાંત પરિવાર ને રહેવા માટે ક્વાર્ટર અને સંતાનો ગ્રેજ્યુએટ ન થાય ત્યાં સુધી તેમને ભણાવવાનો ખર્ચ કંપની પોતે ઉઠાવશે. હવે તમે જ કહો આવી કોઇ કંપની હાલ ભારતમાં છે ખરી, આ પોલીસીની જાણ પાછી કંપનીએ તેના ટ્વિટર હેંડલથી કરી છે.
#TataSteel has taken the path of #AgilityWithCare by extending social security schemes to the family members of the employees affected by #COVID19. While we do our bit, we urge everyone to help others around them in any capacity possible to get through these tough times. pic.twitter.com/AK3TDHyf0H
— Tata Steel (@TataSteelLtd) May 23, 2021
કપંનીએ જણાવ્યું છે કે તેમના કર્મચારીઓ માટેની સોશિયલ સિક્યોરિટી સિસ્ટમનો આ એક ભાગ છે. આ ઉપરાંત 60 વર્ષ સુધી પરિવારના મેડિકલ ખર્ચનો ભાર પણ કંપની જ ઉઠાવશે.
આ અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ પણ તેમના કર્મચારીઓ માટે આ પ્રકારની જાહેરાત કરી હતી. આ કંપનીએ જણાવ્યું હતું કે જો તેમની કંપનીનો કોઇ કર્મચારી કોરોનાથી મૃત્યું પામે છે તો તેના પરિવારને આગામી 5 વર્ષ સુધી સુધી પૂરેપૂરો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત જે તે વ્યક્તિના આખા વર્ષના પગારની બે ગણી રકમ પણ એકસાથે તરત આપવામાં આવશે. જ્યારે ધો. 12 સુધી સંતાનોને ભણવા માટે દર વર્ષે રૂ. 2 લાખની રકમ પણ આપવામાં આવશે.
આમ, આપણા દેશમાં પણ આવી કંપનીઓ છે જે તેમના કર્મચારીઓના ગયા પછી તેમના પરિવારની સંભાળ રાખે છે. આવી કંપનીઓ હાલ સુધી તો વિદેશોમાં જ સાંભળી હતી પરંતુ કોરોનાકાળમાં આપણે ભારતમાં પણ આવી સંવેદનશીલ કંપનીઓના નામ સાંભળી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..