અંધવિશ્વાસમાં લૂંટાઈ ઈજ્જતઃ પાટણમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું

આસ્થાના નામે આપણે આંખે પાટા બાંધી દેતાં હોઈએ છે. અને ધર્મનો પોષાક ઓઢી સાધુ બની બેસેલાં રાક્ષસો સમક્ષ મહિલાઓને કોઈપણ સુરક્ષા વગર મોકલી દેતાં પણ ખચકાતાં નથી. પણ આનો કેવો કરૂણ અંજામ આવે છે તેનો કિસ્સો પાટણના રાધનપુરમાંથી સામે આવ્યો છે. રાધનપુરમાં તાંત્રિક વિધિના બહાને પરિવારે 17 વર્ષની સગીરાને એકલી સાધુ સામે મોકલી હતી. અને સાધુએ ખેતરમાં લઈ જઈ 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

પાટણના રાધનપુરમાં બનેલ ઘટનાની વાત કરીએ તો, રાધનપુર તાલુકાના સરદારપુરા ગામે સાધુએ તાંત્રિક વિધિનાં બહાને 17 વર્ષની સગીરાને પોતાની મઢી પર બોલાવી હતી. પણ 17 વર્ષની સગીરાને જોઈ સાધુના મનમાં હવસનો કીડો જાગી ગયો હતો. અને તેણે એકલી આવેલી સગીરાને ખેતરમાં વચ્ચે લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાએ ઘરમાં જાણ થતાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે ફરાર આરોપીને શોધવા તપાસ શરૂ કરી છે. આ અગાઉ પણ આ રીતે કેટલી મહિલા અને છોકરીઓને સાધુએ નિશાન બનાવી હશે તે તો પોલીસ તપાસમાં જ બહાર આવશે.

રામાયણમાં રાવણે સાધુનો વેશ ધારણ સીતાનું અપહરણ કર્યું હતું. પણ તેણે સીતાને હાથ પણ લગાવ્યો ન હતો. પણ આજના કળિયુગના જમાનામાં રાવણને પણ સારો કહે તેવા સાધુના વેશમાં હવસનાં શિકારીઓ બેસેલાં છે. આ શિકારીઓ સાધુ વેશ ધારણ કરી અંધવિશ્વાસમાં રહેલાં લોકોને બરાબરનાં ડરાવે છે. આ વિધિ કરાવવી પડશે તે વિધિ કરાવવી પડશે તેમ કહી લોકોને પોતાના વિશ્વાસમાં લે છે. અને પછી તેનો શું અંજામ આવે છે તે આપ જાણી જ ગયા છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો