સ્વામિનારાયણ સાધુને મહિલા સાથે હોટલમાં શરીરસુખ માણવું ભારે પડ્યું, વિડિઓ બનાવીને 50 લાખની માંગણી કરતા હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું

માંગરોળના મુક્તુપુર ઝાંપા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના 29 વર્ષના એક વાસના ભુખ્યા સાધુને એક મહિલાએ અમદાવાદની એક હોટેલમાં બોલાવી તેમની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જો કે પોતાના ત્રણ સાગરિતોની મદદથી આ મહિલાએ પહેલેથી કરેલી ગોઠવણ મુજબ આ કામલીલાનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ આ વીડિયો મોકલી મહિલા તથા તેના સાગરિતોએ સાધુ પાસે 50 લાખની ખંડણી માગતા સાધુને પોતે હનીટ્રેપમાં ફસાયાનું ભાન થયું હતું. તે પછી ગભરાઈ ગયેલા સાધુએ પોતાના ગુરુની સલાહ લઈ માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ કેસમાં અમદાવાદની એક મહિલા અને જૂનાગઢ જિલ્લાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સાધુ સ્વામી ગોપાલચરણ

પ્રેમવતીનંદનદાસજી (ઉ.29) એ શનિવારે માંગરોળ પોલીસમાં અમદાવાદની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને કેશોદના ચેતન નામના ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે, આજથી ચાર માસ પહેલા ફેસબુક પર સોનલ નામની મહિલા સાથે ફ્રેન્ડશિપ થયા બાદ ચેટિંગ અને વાર્તાલાપ થયો હતો. બાદ તેઓ હરિદ્વાર ગયેલા ત્યારે મહિલા સાથે મેળાપ થયો હતો અને બાદમાં તેમને અમદાવાદના નવરંગપુરાની હનીબની હોટેલમાં મહિલાએ તા.૨૪ નવેમ્બર ના રોજ બપોરે મળવા બોલાવ્યા હતા.

હોટલેના રૂમમાં મહિલા સાથે બંનેની સંમતિથી શારીરિક સંબંધ બન્યા હતા, જેનો વીડિયો ચૂપકીદીથી ઉતાર્યો હતો. બાદમાં આ વીડિયો કલીપ મહિલાએ તેના ત્રણ સાગરીતોને મોબાઈલમાં વાયરલ કરીને મોકલી આપી હતી. બાદ સાધુને આ ત્રણ શખ્સોએ વારંવાર ફોન કરીને ધમકાવતા હતા કે, જો તેઓ આ વીડિયો કલીપના બદલામાં ૫૦ લાખ નહી આપે તો કલીપ વાયરલ કરીને તેની સામે બળાત્કારની ફરિયાદ કરાવશે.

ફરિયાદે વાસના ભૂખ્યા સંતની પોલ ખોલી

માંગરોળના સ્વામીની ફરિયાદ પર નજર કરીએ તો તેઓ પહેલા તો એફબી પર સંપર્કમાં આવેલી યુવતી સાથે રંગરેલિયા મનાવવા હોટલની રૂમમાં હોંશે હોંશે ગયા હતા, પરંતુ પછી 50 લાખની ખંડણી માંગવામાં આવી ત્યારે તેઓ પોતાના ગુરુની સલાહ લીધા પછી પોલિસ ફરિયાદ કરવા આગળ આવ્યા હતા. સ્વામિનારાયણના સાધુઓએ જે નિયમો પાળવાનો દાવો કરતા હોય છે તે મુજબ તો તેમણે મહિલાનું મોઢું પણ જોવાનું હોતું નથી. તાજેતરમાં જ એક આવા જ સ્વામી એક શૈક્ષણિક કાર્યક્રમમાં આવ્યા ત્યારે વક્તામાં મહિલાઓ બેઠી હોવાથી પ્રવચન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આના પગલે હોબાળો થતાં તેમને ભાગવું પડયું હતું. લોકમુખે ચાલતી ચર્ચા મુજબ માંગરોળના સ્વામીની આ ફરિયાદે કેટલાક સંતો કેવા વાસના ભૂખ્યા હોય છે અને આવા સંતો મહિલાનું મોઢું ન જોવાના નિયમો પાળવાનો કેવો ઢોંગ કરવામાં આવતો હોય છે તેની પર પ્રકાશ પાડયો છે.

ખોટા નામ ધારણ કરીને ટ્રેપ ગોઠવી

પોલીસે કહ્યું કે, આ ફરિયાદમાં બતાવેલ આરોપીની શોધખોળ કરતા ચાર આરોપીઓ પકડાયા છે, જેમાં ખૂલવા પામ્યું છે કે, ફરિયાદમાં બતાવેલ આરોપીના નામ ખોટા છે, પરંતુ તેમના નામ સાચા એ છે કે, જેમાં અમદાવાદની મહિલા આજીયાબાનું શેખ, માંગરોળના જુથળ ગામના ભાવેશ લાડાણી, વિક્રમસિંહ કાગડા, અજાબ ગામનો જીતું વડારીયાને આ કેસમાં ઝડપીને ધરપકડ કરવામાં આવી છે.

હોટલ બાદ એકવાર ૭ હજાર પણ પડાવ્યા હતા

સાધુને હોટેલમાં મળ્યા બાદ ૨૯ તારીખે મહિલા ફરી અમદાવાદના રીંગરોડ પર મળી હતી, ત્યારે તેણીએ જણાવ્યું કે તમારા કારણે મારા મેંદીના ઘણા બધા ઓર્ડર કેન્સલ થયા છે, તેનાથી તેને સાત હજારનું નુકસાન થયું છે, જે રકમ તેણે સાધુ પાસેથી લીધી હતી.

સ્વામી કેવી રીતે ચુંગાલમાં ફસાયા

ગોપાલચરણ સ્વામીના ફેસબુક આઈડી પર સોનલ વાધેલાએ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.જેના પગલે સ્વામીએ ફ્રેન્ડ રેકવેસ્ટ એકસેપ્ટ કરી હતી.બાદમાં સોનલ વાધેલા અને સ્વામી વચ્ચે અવાર-નવાર ચેટિંગ કરવામાં આવ્યુ હતુ. પછી સ્વામીને સીજી રોડ જૈન દેરાસર પાસેની સરોવર કોમ્પલેક્ષમાં હનીબની હોટલમાં લઈ જઈને હિડન કેમેરાથી શૂટ કરી લીધુ હતુ.

આ ઘટના પ્રકાશ આવ્યા બાદ એક પ્રશ્નલોકોમાં ઉદ્દભવે છે કે, સ્વામીની ફરિયાદના આધારે પોલીસ તો ત્રણેય આરોપીઓને પકડશે, પરંતુ એક સ્વામી જે જગતના તમામ મોજશોખ છોડીને સ્વામી બનીને ભગવાનનું નામ અને લોકોની સેવા કરવા માટે સંસાર છોડે છે. તો તેઓ પાછા સંસારના મોહમાં કેમ પડ છે? શા માટે સ્વામી યુવતીની વાતમાં આવીને અમદાવાદ આવ્યા ? શા માટે તેઓ યુવતીએ બોલાવેલી જગ્યાએ હોટલમાં આવીને મોજશોખ કર્યા? જો તમે એક ભગવો ધારણ કરીને સંસારના મોજશોખ માણવા માંગતા હોય તો શું કામ સંસાર છોડવાના ઠોગ કરો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો