1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને મળ્યું પદ્મશ્રી સન્માન

આજના સમયમાં રૂપિયા માટે ડોક્ટરો લેબોરેટરી સાથે સેટિંગ કરીને ખોટા રિપોર્ટ્સ બનાવડાવતા હોવાના પણ કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ફક્ત 1 રૂપિયામાં ગરીબ દર્દીઓની સારવાર કરી માણસાઈનું ઉદાહરણ બેસાડનારા ડોક્ટરને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળના બેલપુરના રહેવાસીઓમાં ડો. સુશોવન બેનર્જીને ‘એક ટકા વાલે ડોક્ટર’ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ગરીબો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. આટલું જ નહિ, તેમણે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પણ ગરીબોને અર્પણ કર્યો છે.

ડો. બેનર્જી આ વર્ષે પશ્ચિમ બંગાળમાંથી પદ્મશ્રી માટે ચૂંટાયેલી ચાર હસ્તીઓમાંની એક છે. ડો. બેનર્જીએ કહ્યું, “હું આ પુરસ્કાર મેળવીને ખુશ છું. હું 57 વર્ષથી દર્દીઓની સારવાર કરી રહ્યો છું. તેમના કારણે જ મને પદ્મશ્રી મળ્યો છે. હું આ પુરસ્કાર તેમને સમર્પિત કરું છું.”

તે કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે તેમને સારા સંબંધો છે અને તેમણે પણ ફોન કરીને ડો. બેનર્જીને શુભેચ્છા આપી હતી. ડોક્ટરે કહ્યું કે પ્રણવ મુખર્જી તેમને નાનો ભાઈ માને છે.

પદ્મશ્રીના લિસ્ટમાં પોતાનું નામ જોઈને તેમની નવાઈનો પાર નહતો રહ્યો. તે કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં ભાજપની સરકારે પદ્મશ્રી માટે તેમની પસંદગી કરી છે એ જાણીને તેમની નવાઈનો પાર નથી રહ્યો. તેમણે સરકારનો આ સન્માન બદલ આભાર માન્યો હતો બેનર્જી ઉપરાંત પશ્ચિમ બંગાળની અન્ય ત્રણ હસ્તી ડો. અરૂણોદય મંડલ (મેડિસિન), કાજી માસૂમ અખ્તર (સાહિત્ય તથા શિક્ષણ), મણિલાલ નાગ (કળા)ને પણ પસંદ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો