ગંભીરમાં ગંભીર બીમારી દૂર કરવા રામબાણ ઇલાજ છે સૂરજમુખીના બીજ, હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરી હૃદયની બીમારી દૂર કરવામાં કરે છે મદદ

સુરજમુખીના બીજ તમારા સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારના ફાયદા કારક છે. તે કોશિકાઓને નષ્ટ થવામાં મદદ કરે છે. એવું એટલા માટે થાય છે કારણકે સુરજમુખીના બીજમાં સેલેનિયમના સ્ત્રોત હોય છે. આજે અમે તમને જણાવીશુ કે સુરજમુખીના બીજના કયા લાભ થાય છે. જણાવી દઇએ કે તેમા વિટામીન ઇ અને વિટામીન બી-1 અને કોપર પૂરતા પ્રમાણમાં હોય છે. સાથે જ તેમા મેગનીઝ, મેગ્નેશ્યિમ, ફોસ્ફરસ, ફોલેટ અને વિટામીન બી-6 પણ પૂરતા પ્રમાણમાં રહેલા છે. ખાસ વાત એ છે કે તેમા હાડકા માટે સ્વસ્થ ખનિજ હોય છે.

હાઇ બ્લડ પ્રેશર

સુરજમુખીના બીજ તમારા શરીરમાં એન્ટી ઓક્સીડેન્ટની ક્ષમતાને વધારે છે. તેમા વિટામીન ઇનું પ્રમાણ વધારે હોય છે. તે વિટામીન ઇ હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે વિટામીન સી અને સેલેનિયમની સાથે મળીને કામ કરે છે.

કોલેસ્ટ્રોલ સ્તર

સુરજમુખીના બીજમાં વધારે પ્રમાણમાં ફાઇટોસ્ટોરોલસ હોય છે. જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. શરીરમાં જો કોલેસ્ટ્રોલનું પ્રમાણ નિયંત્રિત રહે તો હૃદય રોગની સંભાવના ઓછી થઇ જાય છે.

હૃદય રોગ

સુરજમુખીના બીજમાં બે પ્રકારના પોષક તત્વ વિટામીન ઇ અને ફોલેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 1/4 કપ સુરજમુખીના બીજમાં 60 ટકા વિટામીન ઇ હોય છે. વિટામીન ઇ સંતુલિત હોવાથી કાર્ડિયોવેસ્કુલર બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. ફોલેટ હૃદય રોહને જન્મથી લઇને વૃદ્ધાવસ્થા સુધી ઓછું કરવામાં મદદ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો