સુરતમાં ભાજપના નેતાઓ વિરુદ્ધ લાગ્યા બેનર, “અમે તમને મત આપીને મોટી ભૂલ કરી છે”

સોનિફળિયા બાદ હવે સુરતના ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થાનિકોએ ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે તેઓએ હવે વોટની ભીખ માંગવા આવવું નહીં.

ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લાગ્યા
સુરતમાં રોડ રસ્તાને લઈને હવે સુરતીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર મહિનાઓથી રોડ રસ્તાઓ ખોદી નાખતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવારોનો વારો આવ્યો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ સ્થાનિકોએ નગરસેવકોના બેનરો બનાવી અનોખી રીતે વિરોધ કર્યો હતો. વિરોધના પગલે નગરસેવકો દોડી આવ્યા હતા અને બેનરો ઉતારી વિરોધને શાંત પાડવાની મથામણમાં લાગી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિરોધ પોસ્ટર લાગતા કોર્પોરેટર્સ દોડતા થયા
સોનિફળિયા બાદ હવે સુરતના ગોપીપુરા મોટી છીપવાડમાં સ્થાનિકોએ મનપા સામે રોષ વ્યકત કર્યો છે. સમા,ગોપીપુરા,મોટી છીપવાડ વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સ્થાનિકોએ ભાજપના ચૂંટાયેલા ચાર કોર્પોરેટરો સાથેના ફોટાવાળા બેનરો લગાવ્યા છે જેમાં લખ્યું છે કે તેઓએ હવે વોટની ભીખ માંગવા આવવું નહીં

ભાજપના ગઢમાં કામગીરી મુદ્દે ઉઠ્યો વિરોધ
છેલ્લા 4 મહિનાથી રોડ બન્યો નથી, તંત્રને અનેક વાર રજૂઆત કરી પરતું કોઈ જવાબ ન મળતા તેઓ પણ રોડની જેમ ખાડે જ ગયા છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવવું છે કે છેલ્લા ચાર મહિનાથી તેઓ રજૂઆતો કરીને થાકી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત તમામ આ વિસ્તારની મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલી જાણવા આવે છે પરતું હજુ સુધી તેને દુર કરવા માટેના કોઈ પગલાં ભર્યા નથી.

પ્રિમોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલો
હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે રોડ રસ્તાનું કામ ન થતા ગામલોકોની સમસ્યા ઠેરની ઠેર રહેશે તેમજ ચોમાસામાં પાણી ભરાતા અનેક હાલાકીઓને સામનો કરવાનો વારો આવે છે વળી ચોમાસામાં તો રોડ રસ્તાની હાલત બદતર થઈ જાય છે. આ માત્ર એક વિસ્તારની વાત નથી પણ શહેરના અનેક અંતરિયાળ વિસ્તારોમાં આવી જ હાલત છે વહીવટી તંત્ર સ્વીકારે છે કે ચાલુ વર્ષે કોરોના કામગીરીની વ્યસ્તતાના લીધે આ વર્ષે પ્રિમોન્સૂન કામગીરી પર ધ્યાન આપી શકાયું નથી. જેના કારણે લોકોને મુશ્કેલી પડી છે. પરંતુ હવે જ્યારે કેસો ઘટી રહ્યા છે, ત્યારે લોકોની ફરિયાદોને ધ્યાને લઈને તેના પર કામ કરવામાં આવશે.

ગામ લોકોની સમસ્યા ઠેરની ઠેર
ઉલ્લેખનિય છે કે ચૂંટણી આવે ત્યારે વોટ લેવાની લાલચ આપી ખોટા ખોટા વાયદા આપે છે પણ એક વખત સત્તામાં આવી ગયા બાદ જે-તે વિસ્તારની મુલાકાત લેવાની પણ તસ્દી લેતા નથી તેવો સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે રોડ રસ્તાની બદતર હાલતને લઈને હાલમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો