ગણદેવીમાં સામે આવ્યો અજીબોગરીબ કિસ્સોઃ રખડતી ગાયે બે મોઢાંવાળા વાછરડાને આપ્યો જન્મ, પરંતુ ખરાબ સ્વાસ્થ્યને કારણે પલભરમાં મોત નીપજ્યું

ગણદેવી કેનિંગ ફેક્ટરી સામે મંગળવારે સવારે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. રખડતી ગાયે બે મોઢા, ચાર કાન, ચાર આંખ અને ચાર પગ ધરાવતા દુર્લભ વાછરડાને જન્મ આપ્યો હતો. જો કે ખરાબ સ્વાસ્થ્યને કારણે નવજાત વાછરડાનું પલભરમાં મોત નીપજ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ગણદેવી ભવાની ગ્રૂપના યુવાનો ગૌસેવા માટે જાણીતા છે. જેમને મંગળવારે સવારે સાતેક વાગ્યાના અરસામાં પ્રસૂતિ પીડાતી ગાય અંગે જાણ કરાઇ હતી. જે સાથે કોરોના કાળમાં યુવાનો કેનિંગ ફેક્ટરી ગાયત્રી સોસાયટી પાસે ધસી ગયા હતા, જ્યાં ગાયની મદદ કરી રહ્યા હતા ત્યારે કુદરતના કરિશ્મા સમાન બે મોઢાંવાળા વાછરડાને જોઇ તેઓ ચોંકી ઊઠયા હતાં.

બંને મોઢાં ગળાના ભાગેથી જોડાયેલા હતા અને ચાર કાન, ચાર આંખો, ચાર પગ, લાલ રંગ ધરાવતું દુર્લભ વાછરડું હતું. જો કે, ખરાબ સ્વાસ્થ્યને કારણે વાછરડાનું મોત નીપજ્યું હતું. ભવાની ગ્રૂપના યુવાનોની ભારે જહેમતને કારણે ગાયનો જીવ બચી જવા પામ્યો હતો. જ્યારે મૃત વાછરડાના ગણદેવી ધનોરી નાકા તળાવ પાળે અંતિમસંસ્કાર કરાયા હતા.

આ દુર્લભ ઘટના ચમત્કારથી ઓછી નથી. ભવાની ગ્રૂપના યુવાનો સામાજિક સાથે ગૌસેવાનું કાર્ય પણ કરે છે. તેઓ તાલુકામાં અનેક ગાયોને રેસ્ક્યુ ઓપરેશન અને સેવા થકી જીવનદાન આપી ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો