ભારતમાં કોરોનાની પહેલી દર્દીએ સાજા થયા બાદ જણાવ્યું, કે કેવી રીતે કોરોના વાયરસને હરાવ્યો, જાણો સમગ્ર કહાની

કોરોના વાયરસે ચીન, ફ્રાન્સ, અમેરિકા અને ભારત સહિતના દુનિયાના ઘણા દેશોમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસે અત્યાર સુધીમાં 3100થી વધારે લોકોના જીવ લીધો છે. ભારતમાં પણ હાલ કોરોના વાયરસના 30થી વધુ કેસ સામે આવ્યા છે. જોકે સૌથી પહેલા કોરોનાનો કેસ કેરળમાં સામે આવ્યો હતો. ચીનના વુહાનમાં મેડિકલનો અભ્યાસ કરતી કેરળની યુવતીમાં કોરોના વાયરસ જોવા મળ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં રાખીને સારવાર કર્યા બાદ રજા પણ આપી દેવાઈ.

કેરળના થ્રીસુરમાં રહેતી મેડિકલ વિદ્યાર્થિનીએ કોરોના વાયરસને હરાવ્યા બાદ એક ખાનગી ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે, થ્રીસુરની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન તેનો સમય કેવી રીતે પસાર થતો હતો. ત્રીજા વર્ષમાં મેડિકલનો અભ્યાસ કરતી યુવતીએ કહ્યું, તેને 31મી જાન્યુઆરીએ સરકારી મેડિકલ કોલેજમાં એડમિટ કરાઈ હતી. અહીં રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ પણ તેની મુલાકાત લીધી અને સાજા થવાનું આશ્વાસન આપ્યું હતું.

યુવતીના કહેવા મુજબ, તેણે હોસ્પિટલમાં વુહાનના કોલેજનો એકપણ ક્લાસ મિસ નહોતો કર્યો, કારણ કે ચીનથી શિક્ષકો ઓનલાઈન લેક્ચર્સ આપી રહ્યા હતા. હોસ્પિટલમાં વાઈ-ફાઈ કનેક્શન સેટ કરવામાં આવ્યું હતું ઉપરાંત તેને કેટલીક અન્ય સુવિધાઓ પણ અપાઈ હતી. તે જે પણ ખાવું હોય તે ડિશ મગાવી શકતી હતી. આ કારણે જ હોસ્પિટલમાં તેણે બહુ બધી બિરયાની ખાધી હોવાનું જણાવ્યું.

પોતાને કોરોના વાયરસ થયો હોવાનું જાણ્યા બાદ તેના મનમાં શું ચાલતું હતું, તે વિશે વાત કરતા યુવતીએ કહ્યું, મારા ટેસ્ટનું પરિણામ આવવાનું મોડું થતા મને થોડી શંકા થઈ અને મેં સમાચારમાં જોયું કે એક વ્યક્તિને ઈન્ફેક્શન થયું છે. મારા માતા અને મિત્રો બાજુના રૂમમાં હતા પણ મેં તેમને કશું ન કહ્યું. પરંતુ કેટલાક ડોક્ટર્સ મારી પાસે આવ્યા અને બહાદૂર બનવાની વાતો કરવા લાગ્યા, મને ખાતરી હતી કે તે હું જ છું. મેં ડોક્ટર્સને પૂછ્યું કે પોઝિટિવ ટેસ્ટ મારો જ છે? તેમણે કહ્યું બધુ નોર્મલ છે અને હું ડરેલી છું કે નહીં તેમ પૂછ્યું. મેં કહ્યું ના. આ પછી ચાર ડોક્ટર આવ્યા અને મને જણાવ્યું કે મારો ટેસ્ટ પોઝિટિવ હતો.

આ બાદ યુવતીને લાગ્યું કે આગામી થોડા દિવસો તેના માટે ખૂબ મુશ્કેલ રહેશે, પરંતુ ડોક્ટર્સે તેને ખૂબ મદદ કરી. તેણે કોરોના વાયરસ થયો હોવાનું માલુમ થયા બાદ હોસ્પિટલમાં 25 દિવસો સુધી એડમિટ રહી અને આ દરમિયાન ઘણી બધી કોરિયન ફિલ્મો જોઈ.

હવે તે સંપૂર્ણ રીતે સાજી થઈ ગઈ છે અને હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ બધાનો આભાર માની રહી છે, જેમના પ્રયાસો અને સપોર્ટના કારણે તે ફરીથી સાજી થઈ શકી. હવે તે પોતાની મેડિકલ ડિગ્રી ખતમ થયા બાદ કેરળમાં પાછી આવીને જ પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં નોંધાયેલા કોરોના વાયરસના પ્રથમ ત્રણ કેસ કેરળમાં જ સામે આવ્યા હતા અને બધા દર્દીની સફળતાપૂર્વક સારવાર કરીને સાજા કરી દેવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો