‘સાવધાન ઈન્ડિયા’ના હોસ્ટને નાગરિકતા બિલનો વિરોધ પડ્યો ભારે, સુશાંત સિંહને શોમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો

ટીવી શો સાવધાન ઈન્ડિયાના હોસ્ટ સુશાંત સિંહને શોમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. એક્ટર સુશાંત સિંહે ખુદ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે અને જાણકારી આપી છે. તેણે આરોપ લગાવ્યો છે કે નાગરિકતા બિલનો વિરોધ કરવા બદલ તેને આ સજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ નાગરિકતા બિલ વિરોધના પ્રદર્શનનો હિસ્સો બન્યો હતો.

નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ દેશમાં ઘણી જગ્યાએ થઈ રહ્યો છે. દિલ્હીમા જામિયા નગર અને જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ જ અરસામાં મુંબઈના વિદ્યાર્થીઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં સુશાંત સિંહ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે તેણે પણ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

સુંશાતે આ વિરોધ પ્રદર્શન દરમિયાનનો ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરેલા છે. આ પછી મંગળવાર મોડી રાત્રે સુશાંતે ટ્વીટર પર માહિતી આપી કે તેનો સાવધાન ઈન્ડિયા સાથે સફર પુરી થઈ ગઈ. તો વળી ફિલ્મની વાત કરીએ તો સુશાંત સિંહ ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ, સત્યા, દમ, લિપસ્ટિક અંડર માય બુર્કા, હેટ સ્ટોરી 2માં આ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો