સોનૂ સૂદ 20 હજાર શ્રમિકોના રહેવા અને નોકરીની કરી રહ્યો છે વ્યવસ્થા
લોકડાઉન પછી લોકોના રોબિનહુડ બનેલા અભિનેતા સોનૂ સૂદે નોઇડામાં 20 હજાર પ્રવાસી શ્રમિકોના રહેવાની વ્યવસ્થાનો ખુલાસો કર્યો છે. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓને તેમના ઘરે મોકલવાની મદદ કરવાને લઇ પ્રશંસાનો હકદાર સોનૂ સૂદે આ ન્યૂઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની પહેલા પ્રવાસી રોજગાર હેઠળ ઘણાં શ્રમિકોને નોઇડાના કપડાની ફેક્ટરીમાં રોજગારી પણ અપાવવામાં આવી છે અન્ય શ્રમિકો માટે રોજગારીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સોનૂ સૂદે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, મને ખુશી છે કે હવે 20000 શ્રમિકોના રહેવાની વ્યવસ્થા કરી રહ્યો છું. આ શ્રમિકોને પ્રવાસી રોજગાર હેઠળ નોઇડાના કપડાની ફેક્ટરીમાં રોજગારી પણ આપવામાં આવી છે. સોનૂ સૂદે કહ્યું છે કે, NAEC અધ્યક્ષ લલિત ઠકરાલની મદદથી અમે બધા મળીને 24 કલાકમાં પ્રવાસી શ્રમિકોના રોજગાર પર કામ કરી રહ્યા છે. સોનૂ સૂદે એ પણ આશ્વાસન આપ્યું છે કે, શ્રમિકોને સ્વચ્છ આવાસીય સુવિધા પણ મળે. સૂદે દેશના જુદા જુદા ભાગોમાં રોજગાર હાંસલ કરવામાં મદદ માટે હાલમાં જ એક પણ લોન્ચ કરી હતી.
પ્રવાસી શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સૂદના પોર્ટલ પ્રવાસી રોજગારમાં 4 થી 5 લાખ રેડીમેડ ગાર્મેન્ટથી જોડાયેલા કારીગરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજિસ્ટ્રેશન પછી શ્રમિકોની આવવાની પણ શરૂઆત થઇ ગઇ પણ સવાલ એ હતો કે આખરે આ શ્રમિકો રહેશે ક્યાં? માટે શ્રમિકોના રહેવા માટે પ્રાધિકરણ અને પ્રશાસન પાસેથી ખાલી આવાસની માગ કરવામાં આવી જે મંજૂર થઇ ગઇ.
લોકડાઉનને કારણે કામગરો અને શ્રમિકોની ગંભીર અછતનો સામનો કરતા નોઇડા પ્રાધિકરણે ઉદ્યોગો અને સંબદ્ધ ગતિવિધિઓ માટે શ્રમિકો પૂરા પાડવા માટે લેબર બેંક પણ સ્થાપિત કરવામાં આવી હતી. જેમાં કોઇપણ શ્રમિક આપવામાં આવેલી લિંક પર પ્રાધિકરણના રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે. પુરુષ અને મહિલા બંને લેબર બેંક રજિસ્ટ્રેશન માટે અરજી કરી શકે છે.
નોઇડા પ્રાધિકરણના સીઇઓ રિતુ માહેશ્વરીએ જણાવ્યું કે, નોઇડા પ્રાધિકરણનો હેતુ શ્રમિકોનો એક ડેટાબેઝ બનાવવાનો છે. લેબર બેંકની સાથે રજિસ્ટ્રેશન માટે અરજીકર્તાનું નામ આયુ અનુભવ ઓળખ પ્રમાણની સાથે પ્રદાન કરવાનું રહેશે. રિતુ માહેશ્વરીએ કહ્યું કે, આ શ્રમ બેંક શ્રમિકોના રોજગાર પ્રદાન કરશે અને પ્રવાસનને ઓછું કરશે.
નોઇડા સેક્ટર-122માં પ્રાધિકરણના ખાલી પડેલા 3000 આવાસોમાં તેમના રહેવાની વ્યવસ્થા કરશે. લલિત ઠકુરાલે જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન અભિનેતા સોનૂ સૂદે જે રીતે શ્રમિકોને મદદ કરી, તેનાથી નોઇડાના ઉદ્યમીઓની રાહ પણ સરળ થઇ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

