રાજકોટના ભરૂડી ટોલનાકા ખાતે ફરી મારામારી, પીપળીયા ગામના રહીશોએ ટોલકર્મીને માર મારીને ધોઈ નાખ્યો
રાજકોટ-ગોંડલ હાઇવે (Rajkot-Gondal highway પર આવેલા ભરુડી ટોલનાકા (Bharudi toll gate) ખાતે અઠવાડિયામાં મારામારીનો એકાદ બનાવ ન બને તો જ નવાઈ! 14મી જાન્યુઆરીના રોજ અહીં મારામારીને ઘટના બની હતી. હવે ફરીથી 29મી તારીખના રોજ રાત્રે મારામારીનો બનાવ બન્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે રાત્રે 9:45 વાગ્યે અહીં મારામારીનો બનાવ બન્યો હતો. આ મામલે ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીપળીયા ગામના કેટલાક રહીશોએ ટોલનાકાના કર્મચારી પર હુમલો (Attack) કર્યો હતો.
ટોલકર્મી પર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પહેલા ત્રણથી ચાર લોકો ટોલનાકાની બારી પર ઊભા રહીને કર્મચારી સાથે બોલાચાલી કરે છે, તેને મારવાનો પ્રયાસ કરે છે. જે બાદમાં ટોલકર્મી બહાર આવે છે. બહાર આવતાની સાથે જ તેને ધોલ મારવામાં આવે છે. કર્મચારીને લાતો પણ મારવામાં આવે છે. એક વ્યક્તિ પોતાનું ચંપલ કાઢીને કર્મચારીને મારી રહ્યો છે. અહીં હાજર અન્ય લોકો સાથે પણ તે બબાલ અને ઝપાઝપી કરે છે. આ દરમિયાન કેટલાક લોકો દોડી આવે છે અને તમામ લોકોને છોડાવે છે. આ ઝઘડો કયા કારણને લીધો થયો હતો તે જાણવા મળ્યું નથી.
રાજકોટ-ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલનાકા ખાતે ફરી મારામારી pic.twitter.com/Xj3MaKMZKL
— News18Gujarati (@News18Guj) January 30, 2021
14મી જાન્યુઆરીએ પણ ટોલનાકા ખાતે ટોલ ભરવા મુદ્દે કાર ચાલક અને ટોલબૂથના કર્મચારી વચ્ચે બબાલ થઈ હતી. જે બાદમાં કાર ચાલકે ટોલબૂથના કર્મચારીને માર માર્યો હતો. આ મામલે ટોલનાકા સંચાલકોએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ટોલબૂથના કર્મચારીને માર મારનાર કાર ચાલકનું નામ પ્રહલાદસિંહ ચુડાસમા હતું. પ્રહલાદસિંહ ચુડાસમાએ ટોલબૂથના મોહન રાઠવા નામના કર્મચારીને માર મારીને ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ટોલનાકા ખાતે ગત વર્ષે 40 રૂપિયાનો ટોલ ટેક્સ ભરવા બાબતે લક્ઝુરીયસ ગાડીમાં આવેલા રાજકોટના સરકારી કોન્ટ્રાક્ટર પિતા-પુત્રે પિસ્તોલ કાઢીને ટોલ કર્મચારીને જાનથી મારી નાખી ધમકી આપવાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
આ ટોલનાકા ખાતે ટોલ મુદ્દે અવારનવાર તકરાર થતી રહે છે. આ કારણે જ અહીં અનેક વખત ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. ગત વર્ષે રાજ્યના મંત્રી જયેશ રાદડિયાએ પણ ટોલ કર્મચારીઓ સાથે ઝઘડો કર્યો હતો. લોકોને આક્ષેપ છે કે અહીં બહારના લોકોને નોકરી પર રાખવામાં આવે છે. આ લોકો ગુજરાતી ભાષા ન સમજતા હોવાથી આવી તકરાર થતી રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..