5માં ધોરણમાં ભણતા માસૂમ વિદ્યાર્થી માટે શાળાની જ બસ બની ગઈ કાળ, ટાયરમાં આવી જતા કરુણ મોત

હળવદના ઢવાણા ગામ પાસે ગમખ્વાર અકસ્માતમાં એક માસૂમ વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું છે. સ્કૂલ બસનું ટાયર માસૂમ પણ ફરી વળતા વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી નવનિર્માણ વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.

મળતી માહિતી મુજબ હળવદના ઢવાણા ગામના વિદ્યાર્થી ઉપર સ્કૂલ બસનું ટાયર ફરી વળતા તેનું કરૂણ મોત થયું છે. નવનિર્માણ વિદ્યાલયમાં પાંચમાં ધોરણમા અભ્યાસ કરતા વિદ્યાર્થી જયપાલનો શાળાની બસે જ ભોગ લીધો છે. આ વિદ્યાર્થી ઘનશ્યામપુર ગામે નજીક નાસ્તો લેવા બસ નીચે ઉતર્યો હતો. ત્યારે નાસ્તો લીધા બાદ સ્કૂલ બસમાં ચડતી વેળાએ ડ્રાઇવરે બસ અચાનક હંકારી હતી. આ કારણે વિદ્યાર્થી નીચે પડ્યો અને તેના પર બસનું ટાયર ફરી વળ્યું હતું.

આ ગમખ્વાર અકસ્માતમાં માસૂમનું મોત નીપજ્યું. માહિતી મુજબ દુ:ખદ ઘટના બાદ વિદ્યાર્થીના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારજનોએ શાળ સંચાલકો સામે રોષ દાખવ્યો છે અને આરોપ લગાવ્યા કે શાળાની બેદરકારી છતાં સંચાલકો તમને મળવા નથી આવ્યા અને સમયસર જાણ પણ નહોતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો