જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના આવી સામે, પ્રેમી યુગલની કુહાડીના ઘા ઝીંકી હત્યા

જૂનાગઢના વંથલીમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. વંથલી કેશોદ હાઈવે પર એક દંપત્તિની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે. ચાર મહિના અગાઉ આ યુગલે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના કારણે જ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ એસ.પી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

જૂનાગઢ જીલ્લાના વંથલી ગામે કેશોદ હાઈવે પર સમી સાંજે એક દંપત્તિની હત્યા કરવામાં આવી હોવાની પોલીસને માહિતી મળી હતી. સંજય રામશી રામ અને ધારાબેન સંજયભાઈ રામ બાઈક પર જૂનાગઢ તરફ આવી રહ્યા હતા ત્યારે વંથલી નજીક હાઇવે પર બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં બન્ને પ્રેમી યુગલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

આ પ્રેમી યુગલ માંગરોળ નજીકના દરસાલી ગામના હોવાનું અને ચારેક મહિના પહેલા પ્રેમલગ્ન કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યા પાછળનું કારણ પણ તેમના પ્રેમલગ્ન હોવાનું મનાય રહ્યું છે. ઘટનાને પગલે એસ.પી., કેશોદ ડી.વાય.એસ.પી., એલ.સી.બી. સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને હત્યારાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો