અમદાવાદમાં રિવરફ્રન્ટ પર હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિતો, 10 મૌલાનાએ વિધિ કરાવી, સર્વધર્મ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી

અમદાવાદ પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 15 પંડિતો અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી.

ઈસા ફાઉન્ડેશનનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ

ગયા વર્ષે પણ ઈસા ફાઉન્ડેશન એજ્યુ. ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટનો સમૂહલગ્ન યોજાયો હતો. જ્યારે શનિવારે ટ્રસ્ટનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો.

1 લાખની વસ્તુઓ કરિયાવરમાં અપાઈ

આ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 6 વર્ષથી આ પ્રકારના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના હબીબ અહમદે જણાવ્યું કે, ગત વર્ષે હિન્દુ, મુસ્લિમ સમાજનાં 501 યુગલનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો