શિરડી સાંઈબાબા ટ્રસ્ટે મુશ્કેલીના સમયમાં કોરોના વાયરસ સામે લડવા રૂ.51 કરોડનું દાન આપ્યું
દેશ અને સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને કહેર વધી રહ્યો છે. ભારતમાં આ સંખ્યા વધીને 700થી વધારે થઈ ગઈ છે અને દેશમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 100થી વધારે સંક્રમિત દર્દીઓ છે. સંકટના આ સમયમાં એક તરફ નેતા, અભિનેતા અને જાણીતી હસ્તીઓ પોતાનાથી શક્ય તેટલું દાન કરી રહ્યા છે. આ વચ્ચે સાંઈબાબા ટ્રસ્ટે કોવિડ-19 સામે લડવા માટે 51 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
શિરડી સાંઈબાબા ટ્રસ્ટે શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત કોષમાં કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે 51 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આ પહેલા મહારાષ્ટ્રના શિવસેનાના સાંસદ અને ધારાસભ્યોએ પણ પોતાની એક મહિનાની સેલેરી દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
Shri Saibaba Sansthan Trust, Shirdi has donated Rs 51 Crore to Maharashtra Chief Minister's Relief Fund to fight the #COVID19 pandemic. pic.twitter.com/wTepDtH9Hw
— ANI (@ANI) March 27, 2020
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતા શિરડીના સાંઈબાબા મંદિરને 17 માર્ચછી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવાયું હતું. જે આગામી આદેશ સુધી બંધ રહેશે. આ ઉપરાંત સોમનાથ મહાદેવ, અંબાજી મંદિર, મધ્ય પ્રદેશના મહાકાલેશ્વર મંદિર સહિતના યાત્રાધામોને પણ કરવામાં આવ્યા છે.
સંસ્થા ઉપરાંત બોલિવૂડ અને ટીવી સેલિબ્રિટી પણ મુશ્કેલીના આ સમયમાં મદદ માટે આગળ આવી રહ્યું છે. કપિલ શર્માએ પણ 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. ઋત્વિક રોશને 20 લાખ રૂપિયા તથા પ્રભાસે 4 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..