ભાવનગરના વલ્લભીપુરનો જવાન જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ

ભાવનગરના વલ્લભીપુરના કાનપર ગામના દિલીપસિંહ ડોડિયા જમ્મુ કાશ્મીરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઇ કારણોસર વાન પલ્ટી મારી ગઇ હતી. જેમાં દિલીપસિંહ શહીદ થતા પરિવારમાં શોકનું પ્રસરી ગયું છે. દિલીપસિંહ, તેની પત્ની અને પુત્રી સાથે જમ્મુ કાશ્મીરમાં રહેતા હતા. જવાનના શહીદ થવાના સમાચાર મળતાની સાથે પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો. તો સાથે સાથે જવાન દિલીપસિંહનાં માદરે વતન ભાવનગર જીલ્લાનાં કાનપર ગામમાં માતમ છવાઇ ગયો છે.

જવાન તેમની પત્ની અને દીકરી સાથે કાશ્મીરમાં રહેતા હતાં.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

આ મામલે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અખનૂર સેક્ટરમાં દિલીપસિંહ અન્ય જવાનો સાથે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની વાન કોઇક કારણોસર પલ્ટી ખાઇ ગઇ હતી. જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. શહીદ દિલીપસિંહને ત્રણ બહેનો છે જેમાં તેઓ સૌથી નાના ભાઇ હતાં. અત્રે ઉલેખનીય છે કે, તેમના કાકા પર આર્મીમાં હતા અને તેમના અને તેમના કાકાના દીકરા પણ આર્મીમાં નોકરી કરી રહ્યા છે.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો.
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો