રાજકોટમાં ગળું કાપીને સાધુની હત્યા કરાઈ, મચ્છરદાનીમાં લપેટી લાશ ફેંકી દેવાઈ, ઓળખ છૂપાવવા ચહેરાની ચામડી પણ ઉતારી નાંખી

ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં જાણે હત્યા કરવી સામાન્ય બની ગઈ હોય તેમ એક અઠવાડિયામાં હત્યાનો ચોથો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ-જામનગર હાઈવે પર સાધુની હત્યા કરીને તેમની લાશને ફેંકી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આરોપીએ ઓળખ છૂપાવવા માટે સાધુના ચહેરાના ચામડી પણ ઉતારી નાંખી છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાજકોટ-જામનગર હાઈવે પર રોડની સાઈડમાં ગળું કાપી નાંખેલી હાલતમાં એક મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં જઈને જોતા મૃતદેહ પરના વસ્ત્રો પરથી તે સાધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે હત્યારાઓએ મૃતદેહની ઓળખ છૂપાવવા માટે મોંઢા પરની ચામડી ઉતારી નાંખીને મોના ભાગ પર બોથડ પદાર્થથી માર મારવામાં આવ્યો છે.

સાધુનો મૃતદેહ જે મચ્છરદાનીમાં પેક કરીને ફેંકવામાં આવ્યો હતો, તેને પણ પોલીસે કબજે કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને CCTV ફૂટેજ ચકાસીને આરોપીઓનું પગેરુ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં યુનિવર્સિટી પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. 

મહિલાની છેડતી કરવા બાબતે હત્યાની આશંકા
આ મામલે તપાસ કરતી પોલીસે ઘંટેશ્વર પાસે ખુલ્લી જગ્યામાં રહેતા પતિ-પત્નીની અટકાયત કરી છે. રાજસ્થાનના બાવરી જાતિની મહિલાના પિતા સાથે સાધુ આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. મહિલાની છેડતી કરવા બાબતે હત્યા થઈ હોવાની પોલીસને આશંકા છે. હાલ પોલીસ સાધુને રાજકોટ લાવનાર મહિલાના પિતાની શોધખોળ આદરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો