મા ભોમની રક્ષા કાજે ગયેલ ગુજરાતનો વધુ એક જવાન શહીદ, પરિવારમાં કરૂણ આક્રંદ, સાબરકાંઠાના ગાંઠીયોલ ગામમાં શોકનો માહોલ

મા ભોમની રક્ષા કાજે ગયેલા અનેક યુવાનો શહીદ થતાં હોવાના અહેવાલ તમે જોતા હશો, ત્યારે ગુજરાતના સાંબરકાંઠામાં વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળી રહી છે. સાબરકાંઠાના જવાનનું નામ જેતાવત જયદીપ સિંહ છે. જેમનું પશ્ચિમ બંગાળમાં આકસ્મિત મોત થયું હોવાની માહિતી મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે, બીજી બાજુ શહીદ જવાનના પરિવારમાં કરૂણ આક્રંદ છવાયો છે. બીજી બાજુ શહીદ જવાનનું  કુદરતી મોત થતાં તેમના મૃતદેહને માદરે વતન લવાયો હતો અને આજરોજ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાનો વધુ એક જવાન શહીદ થયો હોવાની માહિતી મળતા સાબરકાંઠાના ઈડરના ગાંઠીયોલ ગામમાં સન્નાટો વ્પાયી ગયો છે. સાબરકાંઠા ઇડરના ગાંઠીયોલ ગામનો જવાન પશ્ચિમ બંગાળમાં પોતાની ફરજ બજાવતો હતો, ત્યારે ત્યારે કોઈ કારણોસર તેનું આકસ્મિત મોત થયું હોવાની માહિતી મળી હતી. ગુજરાતના શહીદ જવાનનું નામ જેતાવત જયદીપસિંહ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાબરકાંઠાના જેતાવત જયદીપસિંહના નશ્વરદેહને હાલ વતનમાં લાવવામાં આવ્યો હતો અને આજરોજ તેના પૂર્ણ રાજકીય સન્માન સાથે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, સાબરકાંઠા ઈડરના ગાંઠીયોલ ગામનો જેતાવત જયદીપ સિંહનું આકસ્મિત મોતના સમાચારે ગ્રામમાં શોકની લાગણી વ્યાપી દીધી છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારના માથે આભ ફાટી પડ્યું હોય તેમ કરૂણ આક્રંદ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો