વૈજ્ઞાનિકોને મળી કોરોનાની કમજોરી, આવા પાણીથી શરીરમાં જ મરી રહ્યો છે વાયરસ! રશિયન વૈજ્ઞાનિકોને અભ્યાસ જાણમાં મળ્યું
કોરોના વાયરસને રોકવા માટે તૈયાર કરાયેલી વેક્સીન સાથે જોડાયેલા એપડેટ્સની રોજે રોજ ખબરો આવી રહી છે. પરંતુ એક કોરોના મામલે એક સારી ખબર સામે આવી છે, જેને જાણ્યા બાદ તમે પણ રાહતના શ્વાસ લેશો. કોરોના સંક્રમણને રોકવા માટે સાદુ પાણી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બસ જરૂરી છે કે તમે તેને તે રીતે પીવો કે તે વાયરસને ખતમ કરવાનું કામ કરે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
કોરોનાની કમજોરી સામે આવી!
રશિયાના વેક્ટર એન્ડ રિસર્ચ બાયોટેકનોલોજી સેન્ટરે કોરોના વાયરસની સારવાર માટે તેની કમજોરીઓ પર અભ્યાસ કરવાનો શરૂ કર્યો હતો. આ અભ્યાસમાં અલગ-અલગ પરિક્ષણોના આધારે રિસર્ચરોએ જાણ્યું કે, જો કોઈ વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ પ્રવેશ કરે છે એને તે વ્યક્તિ સતત સામાન્ય ટેમ્પરેચર પર રાખેલું પાણી પીવે છે તો કોરોનાને તેના શરીરમાં ફેલાવા કે પોતાની કોપી બનાવવાની તક નથી મળતી.
રિપોર્ટ મુજબ, સામાન્ય તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચર પર રાખેલા પાણીનું સેવન કરવા અને શરીરમાં પાણીની અછત ન થવા દેવાની સ્થિતિમાં કોરોનાના સંક્રમણને શરીરમાં વધતા રોકી શકાય છે. રિસર્ચમાં તે પણ સામે આવ્યું કે કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કર્યાના 24 કલાકની અંદર જો સામાન્ય તાપમાન પર રાખેલા પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આ વાયરસ લગભગ 90 ટકા સુધી ખતમ થઈ જાય છે.
99.9 ટકા વાયરસ પાણીથી ખતમ થયો
જ્યારે 72 કલાકની અંદર પોતાની દિનચર્યા અને પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવા પર 99.9 ટકા વાયરસ ખતમ કરી શકાય છે. એટલે કે જો તમે દરરજો યોગ્ય પ્રમાણમાં સ્વચ્છ અને સાદા પાણીનું સેવન કરો છો તો કોરોનાના સંક્રમણથી બચી શકાય છે.
ઉકાળેલું પાણી કરશે ખાસ મદદ
ખાસ વાચ છે કે તમે જે પાણીનું સેવન કરો છો જો તે ઉકાળેલું હશે તો તમને વધારે લાભ થશે. રિસર્ચરોની ટીમ મુજબ, ઉકાળેલું પાણી કોરોના વાયરસને શરીરની અંદર તેની કોપી તૈયાર કરવાથી રોકે છે.
પાણીથી વાયરસની ડુપ્લિકેટ કોપી બનતા એટકે છે
હકીકતમાં કોરોના જ્યારે આપણા શરીરમાં પ્રવેશ કરે છો તો તે ખૂબ જ ઝડપથી પોતાની ડુપ્લિકેટ કોપી બનાવવા લાગે છે. જેથી સમગ્ર શરીર પર પોતાનું નિયંત્રણ કરી શકે. પરંતુ જે લોકો સતત ઉકાળેલા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે, જો તેમનું શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો આ વાયરસ તેમના શરીરમાં ફેલાવવાની શક્યતાઓ ઓછી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

