કોરોનાના કારણે મોતને ભેટેલા હોમગાર્ડ પ્લાટૂન કમાન્ડર ગીરીશ ચાવડાના પરિવારને રૂ. 25 લાખનો સહાય ચેક અપાયો

કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામનાર હોમગાર્ડઝ કર્મચારીના આશ્રિતને રૂ. 25 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. હોમગાર્ડઝ અમદાવાદ શહેર (પશ્ચિમ)ના ડિવિઝન નં. 5ના પ્લાટૂન કમાન્ડર ગીરીશભાઈ ચાવડા કે જેઓનું 10 મેના રોજ કોરોના વાઈરસના સંક્રમણના કારણે અવસાન થયું હતું. તેમના વારસદાર ઇલાબેન ગીરીશભાઈ ચાવડાને ગૃહ વિભાગના ઠરાવ મુજબ રૂ.25 લાખની સહાયનો ચેક ડાયરેક્ટર જનરલ નાગરિક સંરક્ષક અને હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય દ્વારા અર્પણ કરવામાં આવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલા સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલી ફરજો દરમિયાન સંક્રમિત થયેલા કર્મચારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. 25 લાખ રૂપિયાની સહાય આપવાની જોગવાઈ ગૃહ વિભાગના ઠરાવ મુજબ થયેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો