મહેસુલી તંત્રની મોટી જાહેરાત, હવે ઓનલાઇન કરી શકશો વારસાઇ નોંધનું કામ, કચેરીઓના ધક્કામાંથી મળશે મુક્તિ

રાજ્યમાં તલાટીઓ અને મામલતદાર કચેરીઓ બેફામ ગેરરીતી આચરીને મનમાની કરે છે તેવા વારસાઇ એન્ટ્રીના કેસમાં સરકારે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા શરૂ કરાવતા વારસાઇ નોંધ માટે હવે અરજીદારોને મામલતદાર કચેરીની દાદાગીરી સહન કરવી નહીં પડે. વારસાઇ નોંધ માટે ચાલતા ભ્રષ્ટાચારને પણ બ્રેક લાગશે.

મહેસુલી તંત્ર દ્વારા અમલમાં આવેલા આર.ઓ.આર (રેવન્યુઓનલાઇન રેકોર્ડ)ના સોફટવેરની વિગતો આજે વીડિયો કોન્ફરન્સમાં આપવામાં આવી હતી. અધિકારીઓને કંઇ રીતે કામગીરી કરવી તેની સમજણ પણ આપવામાં આવી હતી. મહેસુલી તંત્ર દ્વારા અત્યાર સુધી પહેલા દસ્તાવેજોની ચકાસણી કરીને નોંધ પાડવામાં આવતી હતી અને તેમાં ખાસ્સો સમય લેવા ઉપરાંત અરજદારો પાસેથી નાણા પણ પડાવાતા હતા.

હવે અરજદારોએ જાતે જ ઓનલાઇન વારસાઇ એન્ટ્રી પાડી દેવાની રહેશે અને ત્યારબાદ તેને પ્રમાણિત કરવા માટે પુરાવાઓ આપવાના રહેશે. આ પુરાવાઓ આપવાના રહેશે. આ પુરાવાઓને આધારે ચકાસણી કરીને નોંધ પાડી દેવામાં આવશે.

અરજદારો માટે સરળતાએ રહેશે કે એન્ટ્રી તેમની પડી ગઇ હશે માત્ર તેને અધિકારીઓએ પ્રમાણિત જ કરવાની રહેશે. જરૂરી પુરાવા રજૂ થયેલા હશે તો કોઇ પણ એન્ટ્રીને રદ્દ નહીં કરી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends.. હવ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો