કોરોનાના સંકટ સમયે નિવૃત્ત સૈનિકે ગ્રેજ્યુઈટી અને પેન્શનની 15 લાખ રૂપિયાની રકમ દાનમાં આપી

કોરોના સામે લડવા માટે સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જુનિયર કમિશન ઓફિસર મોહિન્દર સિંહે ગ્રેજ્યુઈટી અને પેન્શન તથા કમાણીની 15.11 લાખ રૂપિયાની રકમ પીએમ કેયર્સ રિલીફ ફંડમાં દાન કરી દીધી છે. તેમણે કહ્યું કે,‘મને જે પણ મળ્યું દેશથી મળ્યું. હવે જ્યારે દેશને જરૂર છે ત્યારે તેને પરત કરી રહ્યો છું.’

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

મારી વય 85 વર્ષ થઈ, મારે પૈસા લઈને ક્યાં જવાનું છે

1971ના ભારત-પાક. યુદ્ધમાં પોતાની એક આંખ ગુમાવનાર બહાદુર પૂર્વ સૈનિકે પત્ની સુમન ચૌધરી સાથે ગુરુવારે પંજાબ અને સિંધ બેન્ક પહોંચીને મેનેજરનો ચેક આપ્યો હતો. તેમણે જણાવ્યું કે,‘મારી વય 85 વર્ષ થઈ. મારે પૈસા લઈને ક્યાં જવાનું છે. આ પૈસા લોકોની ભલાઈ માટે વપરાશે તેનો મને આનંદ છે.’ કપલે જણાવ્યું કે, તેમના 2 દીકરા અને 1 દીકરી વિદેશમાં નોકરી કરે છે. જ્યારે 1 દીકરી દિલ્હીમાં છે.

ભાઈ-બહેન પોલીસ પાસે પહોંચ્યા, 1770 રૂપિયાની પીગી-બેન્ક

રાયપુરમાં 9 વર્ષના ઐશ્વર્ય, 7 વર્ષની બહેન વીરાએ પોતાની પીગી-બેન્કમાં જમા કરેલા 1770 રૂપિયા સીએમ રિલીફ ફંડમાં દાનમાં આપ્યા. બંને રાયપુરના તાત્યાપારાના રહેવાસી છે. બુધવારે તેમણે પોતાની પિગી-બેન્ક પોલીસ સ્ટેશન જઈ ચોકી ઈન્ચાર્જને આપી. પોલીસ અધિકારીએ બાળકોએ આપેલી આ રકમને સીએમ રિલીફ ફંડમાં જમા કરાવી દીધી છે.

17 દિવસમાં 4643 લોકોએ રક્તદાન કર્યું

આવી જ એક ઘટના રાંચીમાં જોવા મળી. દર્દીઓને મદદ મળી એટલે 17 દિવસમાં 4643 યુનિટ બ્લડ ભેગું કરાયું. રાજ્ય એડ્સ કન્ટ્રોલ સોસાયટીના રાજીવ રંજને જણાવ્યું કે, 22 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન આટલું લોહી જમા કરવું ઝારખંડના લોકોનો જુસ્સો દેખાડે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો