ખાવાના શોખીન હોય તો દિવાળીમાં બનાવો મૈસુર પાક! બનાવવા માટે ખાસ છે આ ટિપ્સ, મોંમાં મુકતા જ ઓગળી જશે

દિવાળી માટે આજે અમે તમારા માટે વધુ એક મિઠાઇની રેસીપી લઇને આવ્યા છીએ. ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મૈસુર પાક..

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાના લોટને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં ચણાનો લોટ મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. જ્યારે ચણાના લોટનું મિશ્રણ થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો. બધુ ઘી મિક્સ થઈ જાય એટલે ચણાનો લોટ સતત હલાવો. જ્યારે ચણાના લોટમાં જાળી-જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો. હવે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો