સનસનીખેજ હત્યા: મહિલા સાથે દુષ્કર્મ આચર્યા બાદ માફી માંગીને લગ્ન કર્યા અને પછી રસી મુકવાના બહાને નૈનિતાલ લઈ જઈને ધક્કો મારી દીધો

ડાબડીમાં હત્યાનો એક સનસનીખેજ કેસ સામે આવ્યો છે. અહીં એક મહિલા સાથે પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું અને પછી આરોપીએ પીડિત મહિલા સાથે લગ્ન કર્યા અને પછી તેને રસી મુકવાના બહાને ઉત્તરાખંડની પહાડીઓ પરથી ધક્કો મારી દીધો. મહિલાની હત્યાના આરોપીની ડાબડી પોલીસ પૂછપરછ કરી રહી છે. પોલીસે ઘટનાની તપાસ કરવા માટે નૈનિતાલમાં પણ તપાસ કરી છે. દ્વારકા કોર્ટના આદેશ પર પોલીસે આ કેસની તપાસ શરુ કરી હતી. ત્યારપછીથી જ આ કેસની વિગતો એક પછી એક સામે આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર ડાબડીમાં રહેનારી એક મહિલાએ જુલાઈ 2020માં એક જાણકાર પર લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ મુક્યો હતો. પોલીસે તપાસ પછી ઓગષ્ટ 2020માં કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી અને જેલની સજા સંભળાવી હતી. થોડા મહિનાઓ પછી પીડિત મહિલાએ કોર્ટ અને પોલીસને સોગંદનામુ આપીને કહ્યું કે તે આરોપી યુવક સાથે લગ્ન કરી રહી છે અને કેસ પાછો ખેંચી રહી છે. ત્યારપછી આરોપીને જેલમાંથી છોડવામાં આવ્યો. ઓક્ટોબર 2020માં તેમણે લગ્ન કર્યા હતા.

લગ્ન પછી પતિ-પત્નીના સંબંધો સારા નહોતા રહ્યા. બન્ને વચ્ચે નાની નાની બાબતોમાં લડાઈ થતી હતી. આ દરમિયાન ઘણીવાર હાથાપાઈ પણ થતી હતી. આરોપી ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તે પોતાની સાસુને પસંદ નહોતો કરતો અને તેનું માનવું હતું કે સાસુને કારણે તેની પત્ની અવારનવાર પિયર જતી હતી અને બન્ને વચ્ચેની લડાઈનું કારણ પણ તેની સાસુ જ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર 7,જૂન 2021ના રોજ પતિ પત્નીમાં લડાઈ થઈ તો તે પિયર જતી રહી. યુવરે 11 જૂનના રોજ પત્નીને ફોન કર્યો અને ઉત્તરાખંડ સ્થિત પોતાના ઘરે બોલાવી પરંતુ યુવતીના પરિવારજનોએ તેને જવા ના દીધી. ત્યારપછી આરોપીએ માફી માંગી અને પત્નીને લઈ ગયો. આરોપી પત્નીને કોરોનાની રસીના બહાને પોતાના ઘરે લઈ ગયો.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાના માતા અને તેનો ભાઈ પોતાની બહેનને જવા દેવા નહોતા માંગતા, કારણકે તેના પર ભૂખ્યા રાખીને પરેશાન કરવાનો પણ આરોપ હતો. આગામી ચાર દિવસ સુધી રાજેશની પત્નીએ દીકરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ વાત નહોતી થઈ શકતી. પીડિત મહિલાનો ફોન સતત બંધ આવતો હતો. પરિવારના લોકોને શંકા થઈ અને તેમણે દ્વારકા કોર્ટમાં પોતાની સમસ્યા રજુ કરી.

પરિવારના લોકોએ દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવી અને કોર્ટે તપાસના આદેશ આપ્યા. પોલીસે મહિલા અને તેના પતિના લાસ્ટ લોકેશનની તપાસ કરી તો તે નૈનિતાલમાં એક સાથે જોવા મળ્યા. ત્યારપછી પોલીસે પૂછપરછ કરી. આરોપીએ આખરે હત્યાની વાત સ્વીકારી. તેણે જણાવ્યું કે, 11 જૂનના રોજ તે દિલ્હીથી નૈનિતાલ ગયો હતો અને બીજા દિવસે પહાડ પરથી પત્નીને નીચે ફેંકી દીધી હતી. આરોપીએ જણાવ્યું કે તે રોજની લડાઈથી પરેશાન થઈ ગયો હતો. પોલીસને પત્નીનો મૃતદેહ ના મળ્યો, જેની શોધ હજી પણ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો