રામ કોઈ કોમ કે દેશના નથી પણ સમગ્ર વિશ્વના છે: મોરારિબાપુ

‘સર્વભૂત હિતાય, સર્વભૂત સુખાય તથા સર્વભૂત પ્રિતાય’ જે નિર્ણય સર્વોચ્ચ અદાલતે આપ્યો છે એના માટે સર્વોચ્ચ અદાલત, સરકાર તથા દેશની ૧૩૦ કરોડની જનતાને અને સમગ્ર વિશ્વને પૂજ્ય મોરારિબાપુએ વધાઈ આપી છે.

ઉત્તરકાશીમાં ચાલી રહેલ રામકથા દરમિયાન પૂજ્ય મોરારિબાપુએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘રામ કોઈ એક કોમ કે એક દેશનાં નથી પરંતુ રામ પૂરા વિશ્વના છે.’ આથી ફ્ેંસલાને સદ્ભાવ, સંવાદપૂર્ણ, પ્રશાંત અને પ્રસન્નતા સાથે સહુ કબૂલ કરે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, ‘મારી દૃષ્ટિએ આ ફેંસલો સૌના મંગળ માટે છે. આ ફેંસલાને આપણે ફંસલામાં ન બદલીએ; અંતે તો રામ કિન્હ ચાહહિ સો હો હિં… ! કરે અન્યથા અસ નહીં કોઈ (માનસ).’ તેઓએ હનુમાનજીને પ્રણામ અને રહેમાનને સલામ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો