મામી અને ભાણેજની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી નાખ્યું

કહેવાય છે કે, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ વિશ્વમાં અનેક યુદ્ધો પણ લડાઈ ચૂક્યા છે. આવું જ કંઈક વિરપુર (Virpur Jalaram)માં બન્યું છે. અહીં મામા (Maternal Uncle)એ તેના ભાણેજની હત્યા (Murder) કરી નાખી છે. હત્યાનું કારણ હતું કે ભાણેજ તેની મામીના એટલે કે આરોપીના પ્રેમમાં પડ્યો હતો. ભાણેજની હત્યા માટે મામએ જે પ્લાન ઘડ્યો હતો તેને જાણીને ભલભલા ધ્રુજી જાય. મળતી માહિતી પ્રમાણે થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના વિરપુર તાલુકાના કેરાળી ગામ (Kerali village)ની સીમના એક કૂવામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. આ મામલે વિરપુર પોલીસે (Virpur Police) અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઘટના મુજબ વીરપુરના કેરાળી ગામના વજુભાઇ ભીખાભાઇ બાલધાની વાળીમાં છેલ્લા ચાર વર્ષથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રહેવાસી એવા નિલેશ રણછોડ વસાવા ઉ.વ 25 અને તેની પત્ની કૈલાશ ખેત મજૂરી કરતા હતા. તારીખ 27 નવેમ્બરના રોજ નિલેશ તેના ઘરેથી ગૂમ થયો હોવાની ફરિયાદ નિલેશની પત્ની કૈલાશે વીરપુર પોલીસમાં નોંધાવી હતી. આ આધારે વીરપુર પોલીસે તપાસ કરતા નિલેશની લાશ રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાના ખેતરના કૂવામાંથી મળી આવી હતી.

આ મામલે વિરપુર પોલીસે પ્રથમ તો અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. વિરપુર પોલીસે નિલેશના મોબાઈલની કૉલ ડિટેઇલની ઊંડી તપાસ કરતા નિલેશની હત્યા તેના જ બાજુના ખેતરમાં રહીને ખેત મજૂરી કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવા (ઉ.વ 30)એ કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વિરપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આગળ વધારી હતી. પોલીસે હત્યાના ગુનામાં વિનુ દીપસિંહ વસાવાની ઘરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

શા માટે હત્યા કરી?:

પોલીસે નિલેશના મોબાઈલ નંબરની કોલ ડિટેઇલ કઢાવતા નિલેશના મોબાઈલમાંથી વારંવાર એક જ મોબાઈલ નંબર ઉપર કોલ થતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા આ નંબર તેની બાજુના ખેતરમાં કામ કરતા તેના કૌટુંબિક મામા વિનુ દીપસિંહ વસાવાની પત્નીનો હતો. આ બાબતે વિરપુર પોલીસે વધુ કડક અને ઊંડી તપાસ કરતા હત્યાનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો. હત્યારા મામા વિનુને તેની પત્ની અને ભાણેજ નિલેશના પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી. આથી જ તેણે ભાણેજને મોતને ઘાટ ઉતારી દેવાનું નક્કી કર્યું હતું.

કેવી રીતે હત્યા કરી?:

હત્યા માટે મામા વિનુએ તેના ભાણેજ નિલેશને તે જ્યાં રહેતા હતા ત્યાં નજીક આવેલા રણછોડભાઈ વેલજીભાઇ રામોલીયાના ખેતર ખાતે બોલાવ્યો હતો. અહીં બંનેએ દારૂ પીધો હતો. હત્યારા મામાએ નિલેશને ખૂબ જ દારૂ પીવડાવ્યો હતો. દારૂના નશામાં ચૂર થયેલો નિલેશ જ્યારે ભાન ભૂલી ગયો અને ચાલવાના પણ હોંશ રહ્યા ન હતા ત્યારે વિનુએ મામા કંશનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિનુએ ભાણેજને ખેતરમાં આવેલા કૂવામાં ધક્કો મારી દીધો હતો. આ રીતે મામી અને ભાણેજના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો