રાજકોટના યુવકનું અંતિમ પગલું, શેર માર્કેટમાં રૂ. 67 લાખ ગુમાવતા યુવકનો આપઘાત, પરિવારમાં શોકનો માહોલ

શેર બજારમાં રૂ. 67 લાખ જેટલી માતબર રકમ ગુમાવતા રાજકોટના આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો પોલીસે પરિવારજનોના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ શહેરના મોરબી રોડ પરના સેટેલાઈટ ચોક નજીક બ્રહ્માણી પાર્કમાં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.25)નામના યુવકે ગત રાત્રે પોતાના રૂમમાં બારીની લોખંડની જાળીમાં સાલ બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.

આ બનાવની જાણ સવારે પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી. જે બાદ બી ડિવીઝન પોલીસનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રોહિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક રોહિત શેર બજારનું કામકાજ કરતો હતો. આ માટે તેણે પિતાના 67 લાખ જેટલા રૂપિયા શેર બજારમાં રોક્યા હતા. જે બાદ તે સતત તણાવમાં રહેતો હતો. પોલીસે રોહિતના મોબાઈલની ડિટેઈલ્સ ચેક કરતાં તેમાં શેર બજારને લગતા મેસેજ મળી આવ્યા હતા. જેમાં 67 લાખ રૂપિયા ડૂબી ગયા હોવાના કારણે રોહિતે અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે. હાલ તો એકના એક પુત્રના આપઘાતથી મૃતકના પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો