રાજકોટ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં કોઇ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે, કોર્ટ બહાર આરોપીઓને ફાંસી આપોના સુત્રોચ્ચાર કર્યા

રાજકોટમાં આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી નરાધમે દારૂના નશામાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીને ઘટનાની રાત્રે જ ધરપકડ કરી લીધી હતી. રાજકોટ બાર એસોસિએશન દ્વારા આરોપી તરફથી કોઇ વકીલ કેસ નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આજે રાજકોટ કોર્ટ બહાર તમામ વકીલો એકત્ર થયા હતા અને દુષ્કર્મની ઘટનાઓને વખોડી કાઢી બેનરો સાથે આરોપીઓને ફાંસીની સજા કરો તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ બાળકીને ન્યાય આપો તેવી માંગ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો