મંદિરના પૂજારી દલિત શ્રદ્ધાળુને ખભા ઉપર બેસાડીને મંદિરમાં લઈ ગયા, સનાતન ધર્મની મિસાલ કાયમ કરી

તેલંગણામાં સોમવારે એક સામાજિક સમતા અને સમરસતાની એક મિસાલ જોવા મળી. જ્યાં એક પૂજારી દતિલ વ્યક્તિને ખભા પર ઊંચકીને તેને મંદિરની અંદર લઈ ગયા. આ ઘટના તેલંગણાના ખમ્મમ સ્થિત રંગનાયકુલા ગુટ્ટાની છે. ખમ્મમમાં ઐતિહાસિક શ્રી લક્ષ્મી રંગનાથ સ્વામી મંદિરમાં સામાજિક સમરસતા વેદિકા, નરસિંહ વાહિની અને અન્ય સંગઠનોએ સાથે મંદિર સંરક્ષણ આંદોલનનું આયોજન કર્યું.

આ મંદિરના પૂજારી કૃષ્ણ ચૈતન્યએ દલિત સમુદાયમાંથી આવતા રવિને ખભા પર ઉઠાવીને તેને મંદિરની અંદર લઈને ગયા. જેમાં બાલાજી મંદિરના મુખ્ય પૂજારી પણ સામેલ હતા. તેમણે કહ્યું કે, આને વૈષ્ણવ આચાર્ય ભગવદ રામાનુજની શિક્ષાઓના ઉત્સવ તરીકે જોવામાં આવે છે. જેમણે એક ગેર-ભેદભાવપૂર્ણ અને સમતાવાદી સમાજ માટે સંઘર્ષ કર્યો. તેમણે કહ્યું કે, સનાતન ધર્મમાં ઈશ્વર પછી પણ સૌ કોઈને સમાન માનવામાં આવે છે. ભેદભાવ કરવાની રીત હાલના દિવસોમાં જ શરૂ થઈ છે. એ અમારી જવાબદારી છે કે અમે દુનિયામાં જુદા જુદા લોકો વચ્ચે થતાં ભેદભાવોને ખતમ કરવાની કોશિશ કરીએ.

2 વર્ષ પહેલા પણ મુખ્ય પૂજારીએ દલિત વ્યક્તિને ખભા પર ઉઠાવેલાઃ

આ સમારોહ મુખ્ય રીતે વૈષ્ણવ મંદિરમાં થાય છે. જેમાં સનાતન ધર્મના રીતિ-રિવાજોને માનવામાં આવે છે. ચિલકુર બાલાજી મંદિરના મુખ્ય પૂજારી સીએસ રંગરાજને સૌથી પહેલા એપ્રિલ 2018માં દલિત યુવકને ખભા પર ઉઠાવીને રંગનાથ સ્વામી મંદિરમાં લઈ ગયા હતા. તેમના મતે તેમના ઈશ્વરે એક જાતિ રહિત અને બરોબરીવાળા સમાજની કલ્પના કરી હતી. સનાતન ધર્મમાં ઈશ્વર પછી પણ સૌ કોઈને સમાન માનવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો