કોરોનાકાળમાં લૉકડાઉનને પગલે મજબૂરીમાં દેહવિક્રયના ધંધામાં સપડાયેલી પીડિતાએ પોલીસ સમક્ષ ચોધાર આંસુએ ચોંકાવનારો ખુલાસો કર્યો, જાણો વિગતે

વાપીની દલાલ મહિલા દ્વારા મહારાષ્ટ્રના વિરારથી ગરજાઉ મહિલાને વલસાડ ખાતે લાવીને દેહવિક્રય કરાવવાનો વેપલો વલસાડ સીટી પોલીસે ઉઘાડો પાડયો છે. પોલીસે અબ્રામા-ધરમપુર રોડ પર સ્થિત અબ્રામા એસ.ટી. વર્કશોપની સામે આવેલા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ડમી ગ્રાહક મોકલાવીને દલાલ મહિલા, તેનો રીક્ષાચાલક સાથી તથા બે ગ્રાહકોને ઝડપી પાડયા હતાં. પોતાના દેહનો સોદો કરનાર પરિણીત મહિલા બ્યુટીપાર્લરમાં નોકરી કરતી હતી. પરંતુ કોરોનાકાળમાં લૉકડાઉનને પગલે લગ્નપ્રસંગો ઓછા થઇ જતા કામ મળતુ બંધ થઇ ગયું તેમજ પતિ મારઝૂડ કરતો હોવાથી પોતાની 18 મહિનાની પુત્રી સાથે અલગ ભાડાના ફ્લેટમાં રહેવાની ફરજ પડી હોવાથી નાછૂટકે મજબૂરીમાં દેહવિક્રયના ધંધામાં પડી હોવાનું પોલીસ સમક્ષ સ્વીકાર્યુ હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોનાને કારણે બ્યુટીપાર્લરમાં નોકરી કરતી મહિલાને કામ મળતુ બંધ થયું હતુ
સીટી પી.આઇ. વી.ડી. મોરીએ પીડિત મહિલાની પૂછપરછ કરતા, કોરોનાકાળમાં નિમ્ન મધ્યમવર્ગના પરિવારોની ભયંકર પરિસ્થિતિનો ચિતાર સામે આવ્યો હતો. વિરારની સોનુ નામની મહિલાએ જણાવ્યું કે, તે પરિણીત છે અને હાલ 18 માસની માસુમ પુત્રી છે. પતિ સતત મારઝૂડ કરતો હોવાથી, છેલ્લા ત્રણેક વર્ષથી પુત્રી સાથે અલગ ભાડાના મકાનમાં રહે છે. તેણીના માતા-પિતા એ જ શહેરમાં જુદા રહે છે. તેણી વિરારમાં જ એક બ્યુટીપાર્લરમાં દુલ્હનને શણગાર કરવાનું કામ કરતી હતી. પરંતુ કોરોનાને કારણે લગ્નપ્રસંગો ઓછા થઇ જતા અને યુવતીઓ શણગાર માટે બ્યુટીપાર્લરમાં આવતી ન હોવાથી કામ મળતુ બંધ થઇ ગયું હતું. મકાનનું ભાડું, પુત્રીનું ભરણપોષણ વગેરે માટે પૈસા ન હતાં. આ દરમ્યાન, તેની ઓળખ આશા જીતેન પ્રાણગોપાલ દાસ સાથે થઇ હતી. તેણીના કહેવાથી છેલ્લા ત્રણેક મહિનાથી નાછૂટકે દેહવિક્રયના ધંધામાં પડી ગઇ હોવાનું પી.આઇ.ને જણાવ્યું હતું.

પીડિત મહિલાએ એક દિવસમાં 8થી 10 ગ્રાહકોને દેહસંતોષ આપવો પડતો હતો
પીડિત મહિલાએ જણાવ્યું કે, દલાલ સંચાલિકા ગ્રાહક સાથે 1500 રૂા.માં સોદો કરતી. જેમાંથી તેણીને 800 રૂા. આપતી હતી. તેણી વિરારથી ઇકો કારમાં 400 રૂા. ભાડું ખર્ચીને વાપી સુધી આવતી. ત્યાંથી દલાલ મહિલા તેણીને વલસાડ ખાતે ઉપરોક્ત ફ્લેટમાં લાવીને ધંધો કરાવતી હતી. પોલીસે છાપો માર્યો ત્યારે ત્યાં પહેલેથી જ બે ગ્રાહકો હાજર હતા. મહિલાના જણાવ્યાનુસાર, એક જ દિવસમાં તેણે 8થી 10 જેટલા ગ્રાહકોને દેહસંતોષ આપવો પડતો હતો. પી.આઇ. મોરી સમક્ષ ચોધાર આંસુએ રડી પડેલી પીડિત મહિલાએ એક તબક્કે તો, આવું જીવન જીવવા કરતા માસુમ પુત્રી સાથે આત્મહત્યા કરી નાંખવાના વિચારો આવે છે તેવી વાત કરતા, પી.આઇ.એ, દેહવિક્રય જેવો ગંદો ધંધો કરવાને બદલે ફેકટરીઓમાં નોકરી કરીને માનભેર જીવવાની સીખ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો