અમદાવાદમાં રિવરફ્રન્ટ પર માત્ર ચપ્પલ જોઇને શંકા જતા કોન્સ્ટેબલે નદીમાં કુદીને મહિલાનો બચાવ્યો જીવ

અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ પર જાળી લગાવ્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી લોકો નદીમાં પડતું મુકી આપઘાત કરતા હોય છે. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનની સી-ટીમ સતત વોક-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનના સી ટીમના પોલીસ કર્મચારી કાંતીભાઇએ નદીના ઠંડા પાણીમાં કુદી અને એક મહિલાનો જીવ બચાવ્યો છે. વોક-વે પર માત્ર ચપ્પલ પડ્યા હોવાની આશંકાને પગલે તેઓ નદીમાં કુદ્યા હતા અને મહિલાનો જીવ બચાવવામાં સફળતા મેળવી હતી.

ઠંડા પાણીમાં વગર વિચારે કુદી મહિલાનો જીવ બચાવ્યો

કાલે બપોરે સુભાષ બ્રિજ પાસે શિલાલેખ ફ્લેટ તરફ સાબરમતી રિવરફ્રન્ટ પર ઇસ્ટ પોલીસ સ્ટેશનના સી-ટીમની વાનના ડ્રાઈવર કોન્સ્ટેબલ કાંતિભાઈ અને ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક મહિલાના ચપ્પલ વોક-વે પર જોવા મળ્યા હતા. જેથી કોઇ મહિલાએ નદીમાં ઝંપલાવ્યુ હોવાની આશંકાને પગલે પોલીસ કોન્સ્ટેબલ કાંતિભાઈ તાત્કાલિક નદીમાં કુદ્યા હતા અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી. જ્યાં નદીમાં એક મહિલા ડુબી રહી હતી. તેને તાત્કાલિક તેને બચાવી અને વોક-વે સુધી લઇ આવ્યા હતા. જ્યાં અન્ય કર્મચારીઓ સુમિતાબા અને ખુશ્બુબેનની મદદથી તેઓને બહાર કાઢ્યાં હતા.

મહિલાને અને તેનો જીવ બચાવનાર કોન્સ્ટેબલને ધાબળો ઓઢાળી અને પ્રાથમિક સારવાર અપાઇ હતી. 108માં મહિલાને હોસ્પિટલ ખસેડાઇ હતી. મહિલાએ કયા કારણસર આત્મહત્યા કરી તે દિશામાં પૂછપરછ પણ પોલીસે શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો