સુરતમાં ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો ‘કાળિયો,’ પોલીસથી બચવા શાકભાજી વેચતો હતો, 25 જણાની ગેંગ ચલાવતો હોવાની માહિતીના પગલે ખળભળાટ

સુરતની કતારગામ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીની પૂછપરછમાં આરોપીએ 25 કરતા વધુ લોકોની ગૅંગ બનાવી ભરુચ જિલ્લામાં એકે કંપનીમાં ધાડ પાડી હતી તે સમયે ત્યાં હાજર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી બે જવાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘાતક હથિયાર સાથે આ ગુનાને અંજામ આપ્યો હતો તેવી કબૂલાત કરતા એક વખત પોલીસ પણ ચોકી ઉઠી હતી.

આ કેસની વિગતો એવી છે કે સુરતની કતારગામ પોલીસને માહિતી મળી હતી કે તાપી નદી કિનારે આવેલ તાપીના પટ પર રહેતો એક યુવાન એક હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી નાસતો ફરે છે. જોકે પોલીસે માહિતીના આધારે નિતીશભાઈ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકી જે તેજ વિસ્તારમાં શાકભાજી વેચાણ કરતો હતો તે સમયે તેની અટકાયત કરી પોલીસ મથકે લઇ આવી હતી, અને આરોપી ની પૂછપરછ કરતા આરોપી જે કબૂલાત કરી હતી તે જાણીને પોલીસ પણ એક વખત માટે ચોકી ઉઠી હતી.

પોલીસ પકડમાં આવેલ આરોપી એ આજથી દોઢેક વર્ષ અગાઉ તેણે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પી.જી.ગ્લાસ કંપની પંડવાઈ કોસંબા રોડ ઉટીયાદરા ગામની સીમ ખાતે આવેલ કંપનીમાં તેના અન્ય વીસથી પચ્ચીસેક સાથીદારો સાથે રાતના સમયે પાઈપો તથા લાકડીઓ જેવા પ્રાણધાતક હથિયારો લઈ કંપનીમાં પ્રવેશ કરી સિકયુરીટી ગાર્ડ ઉપર ધાતક હુમલો કરી ત્રણ સિક્યુરીટી ગાર્ડના મોત નિપજાવી તેમજ બે સિક્યુરીટી ગાર્ડને ગંભીર ઈજા પહોચાડી કરી ફરાર થઈ ગયો હતો.

જોકે આ મામલે તે ભરૂચ જિલ્લા અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં 2019 માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે આ સૈમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે સુરત ની કતારગામ પોલીસે આરોપીને ભરૂચ પોલીસના હલાવે કરવાની તજવીજ હાથ ધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો