દિલ્હીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? ઘરની છત પરથી મળી આવ્યા પેટ્રોલ બોમ્બ અને પથ્થરો
નોર્થ ઈસ્ટ દિલ્હીના ખજૂરીમાં હિંસા ભડકાવવામાં AAPના કોર્પોરેટર તાહિર હુસૈનનો હાથ હતો? તેના ઘરના કેટલાક ફોટાઓ સામે આવતા શંકાની સોંય તેની તરફ વળી છે. તાહિર હુસૈનના ઘરેથી ગુલેલ, પેટ્રોલ બોમ્બ અને કોથળા તેમજ ટ્રેમાં ભરેલા મોટા પથ્થરો જપ્ત કરવામાં આવ્યા છે. આ જ ઘરનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં ત્યાંથી સતત પથ્થરો અને પેટ્રોલ બોમ્બનો મારો કરવામાં આવી રહ્યો હતો. IB સ્ટાફ અંકિત શર્માના મર્ડરની પાછળ પણ તેના પરિવારજનો આ ઘરની છત પર હાજર લોકોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જોકે, તાહિર પોતાને નિર્દોષ ગણાવી રહ્યો છે. પાર્ટી પણ તાહિર હુસૈનના બચાવમાં ઉતરી છે અને આ મામલામાં નિષ્પક્ષ તપાસની માગ કરી રહી છે.
હવે માહોલ શાંત થયા બાદ જ્યારે કેટલાક મીડિયાકર્મી તે ઘરની છત પર પહોંચ્યા તો ત્યાંનો નજારો જોઈ ચોંકી ગયા હતા. ઘરની છત પર પથ્થર જ પથ્થર દેખાયા. સાથે જ ત્યાંથી એક મોટું ગુલેલ પણ મળી આવ્યું હતું. આ ઉપરાંત, પેટ્રોલ ભરેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલો મળી આવી હતી, જેના પર કપડું લગાવીને તેને પેટ્રોલ બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઘણી બધી ગુણીઓ મળી આવી હતી, જેમાંથી કેટલીક ગુણીઓમાં પથ્થર ભરેલા હતા.
Images from rooftop of house of Tahir Hussain. Petrol Bombs and bricks in sacks.#DelhiRiots2020 pic.twitter.com/duP0cVzcDk
— Ayushmann (@Iam_Ayushmann) February 27, 2020
આ મામલામાં તાહિત હજુ પણ પોતાને નિર્દોષ જણાવી રહ્યા છે, તેમનું કહેવું છે કે, હિંસાના સમયે તે ઘરમાં હાજર જ નહોતો. પોલીસે તેને પહેલાથી જ ત્યાંથી બહાર કાઢી લીધો હતો. તેમણે કહ્યું હતું કે, મારા ઘરેથી કોણ બોમ્બ ફેંકી રહ્યું હતું, તે મને નથી ખબર. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, સામના ઘરેથી પણ તેમના ઘર તરફ પથ્થર ફેંકવામાં આવી રહ્યા હતા.
AAP પોતાના મંત્રી તાહિરના બચાવમાં આવ્યું છે. AAPએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસ તાહિરના ઘર પર આઠ કલાક બાદ પહોંચી હતી. આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. AAP નેતા સંજય સિંહે કહ્યું, તાહિર હુસૈનનો સવાલ છે, તેમણે નિવેદન જાહેર કર્યું. તેમના ઘરની અંદર ભીડ ઘૂસી, તો પોલીસને જાણકારી આપી. સતત પોતાને બચાવવા માટે પોલીસ પાસે મદદ માગી. પોલીસ આઠ કલાક બાદ પહોંચી અને પોલીસે તેમને કાઢ્યા. જો કોઈએ દોષી હોય તો તમે કાર્યવાહી કરો. આ અંગે તાહિર હુસૈને નિવેદન આપ્યું છે કે, તેમના ઘરમાં ભૂડ ઘૂસી હતી. પથ્થર ક્યાંથી આવ્યા, તેના જવાબમાં તેમણે કહ્યું કે, પોલીસના અધિકારી જ તે જણાવી શકશે. તે તો બે દિવસથી ઘરમાન જ નહોતા, પોલીસે કાઢ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..