પતંજલિએ કોરોનાના ઈલાજ માટે પહેલી આયુર્વેદિક દવા લોન્ચ કરી, ટ્રાયલમાં 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયાનો બાબા રામદેવનો દાવો
યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
280 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું
રામદેવે દાવો કર્યો છે કે આ ડ્રગના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સમાવેશ કર્યો છે. 100 જેટલા લોકો પર ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 3 દિવસની અંદર 69% દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ થયા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ તહી ગયા હતા. તેમણે જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે.
#आयुर्वेदविजय_कोरोनिल_श्वासारि#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ #पतंजलि योगपीठ हरिद्वार से पूज्य @yogrishiramdev जी और पूज्य @Ach_Balkrishna जी का 12 बजे लॉन्चिंग व लाइव प्रेस वार्ता pic.twitter.com/BbEqQxbn0S
— Patanjali Dairy (@PatanjaliDairy) June 23, 2020
ત્રણેય દવાના એકસાથે ઉપયોગથી કોરોના મટે છે
રામદેવે લોન્ચ કરેલી કોરોના કીટમાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલ પણ સામેલ છે. રામદેવ કહે છે કે ત્રણેયનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને અટકાવી શકાય છે. રામદેવે કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી આપવાથી ફાયદો થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે.
#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ कल दोपहर 12 बजे #पतंजलि योगपीठ हरिद्वार से लॉन्च कर रहे है🙏🏻 pic.twitter.com/SQ5cXOzHVB
— Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020
પતંજલિનો દાવો છે કે આ દવા કોરોના વાયરસને હરાવી દેશે. આ દવા આયુર્વેદિક છે. તેનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.
પતંજલિના આચાર્ય બાલકૃષ્ણે દાવો કર્યો હતો કે પતંજલિએ આર્યુવેદની મદદથી કોરોના વાયરસને હરાવવા માટે દવા બનાવી છે. કોરોના ચેપ આવ્યો ત્યારથી અમે આ દવા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અમારા પ્રયત્નો સફળ થયા છે.
પતંજલિનો દાવો છે કે આ સંશોધન પતંજલિ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (પીઆરઆઈ), હરિદ્વાર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એનઆઈએમએસ), જયપુર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. દિવ્ય ફાર્મસી, હરિદ્વાર અને પતંજલિ આયુર્વેદ લિમિટેડ, હરિદ્વાર દ્વારા આ દવા બનાવવામાં આવી રહી છે.
દેશમાં કોરોના ચેપનો આંકડો વધીને 4.40 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,548 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 10,879 દર્દીઓ રિકવર થયા અને 312 લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં મહત્તમ 3721 નવા કેસ આવ્યા હતા અને અહીં 113 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 2909 દર્દીઓમાં વધારો થયો છે, જ્યારે સૌથી વધુ 3589 દર્દીઓ સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

