પુત્રોએ “અમારે ત્યાં હમણાં ન આવતા” એવું કહેતા વૃદ્ધ માતા-પિતાને લાગી આવતા સજોડે ઝેર પી આપઘાત કરી લીધો

ચલાલાના હુડકો સોસાયટીમાં રહેતા યાસીનભાઇ નજરમહમદ બ્લોચ (ઉ.વ.55) તથા તેમના પત્ની આસુબેન (ઉ.વ.55) એમ બંનેએ ગઇકાલે સાંજના સમયે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ દંપતિની લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવા તજવીજ હાથ ધરી હતી. દંપતીને રાજકોટમાં રહેતા તેના પુત્રોએ હમણા પોતાને ત્યાં આવવાના બદલે ઘરે આરામ કરવાનુ કહેતા લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

યાસીનભાઇ સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું

પોલીસે તેના પરિવારની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત જાણવા મળી હતી કે આ બંને પતિ-પત્ની ચલાલામા એકલા રહેતા હતા. જ્યારે તેના સંતાનો રાજકોટ ખાતે રહેતા હતા. મૃતક યાસીનભાઇ બ્લોચે થોડા સમય પહેલા સારણગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. જેને પગલે હવે તેમને રાજકોટ ખાતે રહેતા પુત્રોને ત્યાં જવું હતું. જેથી તેમણે પુત્રોને પોતે રાજકોટ આવવા માંગે છે તેમ જણાવ્યું હતું. જો કે તેમના પુત્રોએ રાજકોટ આવવાને બદલે હમણા તમે ત્યાં જ આરામ કરો તેમ જણાવતા બંનેને લાગી આવ્યું હતું. જેથી બંનેએ સાથે જ ઝેરી દવા પી આપઘાતનો માર્ગ અપનાવ્યો હતો. બનાવ અંગે ચલાલા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.એલ.ડાભી તપાસ ચલાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો