રાજકોટનો માત્ર 23 મહિનાનો વેદ દુનિયાને અલવિદા કહેતા પહેલા બન્ને કિડની દાન કરી 17 વર્ષના અનુજને નવજીવન આપતો ગયો

રાજકોટનો 23 મહિનાનો વેદ ઝીંઝુવાડિયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડ્યો. દુ:ખના પહાડ તળે પણ તેના માતા-પિતાએ દીકરાની બન્ને કિડની ડૉનેટ કરવાનો નિર્ણય લીધો. એક લાડકો છીનવાયો, બીજો જીવી ગયો…

વેદ ભાવેશભાઈ ઝીંઝુવાડિયાનું બ્રેઈન ડેડ થયા બાદ તેની બન્ને કિડનીઓનું રવિવારે દાન કરાયું હતું. ત્યારે તેનો ફૂલ સાથે રમતો હોય તેવી તસવીર અમારા સહયોગી અખબાર દિવ્ય ભાસ્કરે રાજકોટની અલગ-અલગ 10 મહિલા કે જેઓ માતા પણ છે તેમને મોકલી હતી અને પૂછ્યું હતું કે, આ બાળક કેવું લાગે છે? ત્યારે ખૂબસુંદર લખાણ મહિલાઓએ મોકલ્યું હતું. બાદમાં જ્યારે તેમને જણાવાયું કે, આ બાળક હવે દુનિયામાં નથી ત્યારે જે વેદનાઓ અને બાળક વિશે લખીને મોકલ્યું તે વાંચીને ગમે તેની આંખોમાંથી આંસુ છલકી આવે. તેમાંથી ડો. નિરજા ચૌહાણે કાવ્યપંક્તિ સ્વરૂપે જે લખીને મોકલ્યું તે અહીં રજૂ કરાયું છે.

‘હું દુનિયામાં આવ્યો હતો, જીવનની વ્યથાઓમાં જ સમાઈ ગયો, પણ મારું લઘુ જીવન થયું સાકાર જીતી ગયો, હું મૃત્યુથી કોઈ અન્યનું જીવન બચાવી ગયો.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વેદ હવે અનુજમાં જીવશે

અમદાવાદ રહેતા 15 વર્ષના અનુજને જન્મથી જ કિડનીની ખામી હતી. વેદની કિડની મળતા હવે તેને ડાયાલિસિસનું દર્દ નહીં સહન કરવું પડે. વેદ અનુજમાં જીવી જતાં અનુજના પરિવારે અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો