અમદાવાદમાં બોર્ડની ચાલુ પરીક્ષાએ ધો.12ના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલ ખસેડાયો, સારવાર દરમિયાન મોત

કાલે પરીક્ષા દરમિયાન રખિયાલમાં આવેલી શેઠ સી.એલ.સ્કૂલમાં ધોરણ-12ના કોમર્સના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેક આવ્યો હતો.જેને પગલે ગોમતીપુરની એસ.જી.પટેલ હાઇસ્કૂલના વિદ્યાર્થી એવા અમાન આરીફ શેખને સરસપુરની શારદાબેન હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

વિદ્યાર્થીને વેન્ટીલેટર પર રખાયો હતો
અમાન આરીફ શેખ એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો, ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી આવ્યો ત્યારે તબિયત સારી હતીઃ પ્રિન્સિપાલ
શેઠ સી.એલ. સ્કૂલના પ્રિન્સિપાલ જીતેન્દ્રસિંગે જણાવ્યું હતું વિદ્યાર્થી આવ્યો ત્યારે તેની તબિયત સારી હતી, બાદમાં વિદ્યાર્થી ઉલટી કરવા જાય છે આવીને પાછો બેસે છે. ત્યાર બાદ 4:30 વાગે તે પાછો નીચે આવે છે, બાદમાં એમ્બ્યુલન્સ બોલાવીને તેને સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવે છે જે બાદ તેનું મૃત્યુ થયું છે.

વિદ્યાર્થીને એક જ કિડની હતીઃ કોર્પોરેટર
સ્થાનિક કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું કે, બનાવની જાણ થતાં હું હોસ્પિટલ પહોંચ્યો હતો. વિદ્યાર્થીને પહેલાથી એક જ કિડની હતી છતાં વિદ્યાર્થીની હાલત સારી જ હતી. આજે પરીક્ષા આપવા આવ્યો દરમિયાન તેને તકલીફ થઈ અને તેનું અવસાન થયું છે.

પરીક્ષાની શરૂઆતમાં જ ઉલટી થઈ હતી
ગોમતીપુરમાં રહેતો અમાન આરીફ શેખ નામનો વિદ્યાર્થી રખિયાલની સી.એલ. સ્કૂલમાં પરીક્ષા આપવા આવ્યો હતો. આ દરમિયાન પરીક્ષાની શરૂઆતમાં જ વિદ્યાર્થીને ઉલટી થઈ હતી. જે બાદ ચેસ્ટ પેઈન થયું હતું. જેને પગલે વિદ્યાર્થીને તુરંત જ સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ક્યારે શું થયું

વિદ્યાર્થીને પરીક્ષા શરૂ થયા બાદ અંદાજે 4.30 કલાકે ઉલટી થઈ
ઉલટી થયા બાદ વિદ્યાર્થી ફરી પરીક્ષા આપવા બેઠો
થોડીવાર પછી વિદ્યાર્થીને પરસેવો થયો
સુપરવાઇઝરે આચાર્યને બોલાવ્યા

આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોઈએ 4.38 કલાકે 108ને ફોન કર્યો અને 4.45એ 108 એમ્બ્યુલન્સ પરીક્ષા કેન્દ્ર પર આવી
વિદ્યાર્થીને તપાસતા હાઈ બીપી આવ્યું

ત્યાર બાદ વિદ્યાર્થીને 108માં શારદાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
જ્યાં વિદ્યાર્થીની હાલત ગંભીર વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો
સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થયું

2018માં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું મોત થયું હતું
વર્ષ 2018માં આંકલાવમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું ચાલુ પરીક્ષાએ મોત થયું છે. સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો એ દરમિયાન અચાનક ચક્કર આવવાથી નીચે પડી ગયા બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. નીચે પડી ગયેલા વિદ્યાર્થીને આંકલાવની રેફરલ-સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

અમદાવાદ શહેરમાં 30 હજારથી વધુ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી
અમદાવાદમાં ધો.10ના 59,285 જ્યારે ગ્રામ્યમાં 48,409 વિદ્યાર્થી છે. એ જ રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં શહેરમાં 7652 અને ગ્રામ્યમાં 5260 વિદ્યાર્થી છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદના 30,493 અને ગ્રામ્યના 22044 વિદ્યાર્થી પરીક્ષા આપશે. ધો.10 અને 12માં શહેર અને ગ્રામ્યના મળી અંદાજે 1.73 લાખ વિદ્યાર્થી છે. પરીક્ષા 12 એપ્રિલ સુધી ચાલશે.

શહેરમાં ધો.12ની પરીક્ષા માટે 9 ઝોન
ગેરરીતિ અટકાવવા શહેર અને ગ્રામ્યના કેન્દ્રો પર સીસીટીવી મુકાયા છે. ધો.10ની પરીક્ષા માટે શહેરમાં 11 ઝોન જ્યારે ધો.12ની પરીક્ષા માટે 9 ઝોન છે. બંને ધોરણ માટે મળીને કુલ 140 કેન્દ્રો છે. કોરોનાને કારણે બોજ ઓછો કરવા બોર્ડની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. અગાઉ 5 માર્ચ 2020ના રોજ બોર્ડની પરીક્ષા લેવાઈ હતી. ગત વર્ષે માસ પ્રમોશન અપાયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો