પશ્ચાતાપ પેટી: બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા નવો પ્રયોગ, પરીક્ષા ખંડમાં પ્રવેશતાં જ કાપલી આ પેટીમાં મુકવી

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પોતાની સાથે લઈને આવેલા સાહિત્ય કે કાપલીઓ પરીક્ષા ખંડમાં લઈને જાય નહીં તે માટે પરીક્ષા કેન્દ્રની બહાર પશ્ચાતાપ પેટી મુકવામાં આવી છે. આ પેટી માત્ર નામ પુરતી રહી હોય તેમ કોઈ પણ વિદ્યાર્થીએ તેમાં સાહિત્ય કે કાપલી મુકી નહોતી. જેથી આ પેટી હાલમાં ખાલી પડી રહી છે.

પશ્ચાતાપ પેટીમાં વિદ્યાર્થીઓએ કાપલી નાંખી જ નહીં
પરીક્ષા કેન્દ્રો બહાર પશ્ચાતાપ પેટી એટલા માટે મુકવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષામાં કોપી કરવાના ઉદ્દેશથી પોતાની પાસે કોઈ સાહિત્ય કે કોઈ ચિઠ્ઠી કે અન્ય કોઈ વસ્તુ લાવ્યો હોય તો તે આ પેટીમાં મુકીને જ પરીક્ષા ખંડમાં જાય. જેથી તેની સામે કોઈ પગલાં લેવામાં આવે નહીં. આ પેટી કેટલાક વર્ષોથી કેટલાક કેન્દ્ર પર મુકવામાં આવે છે. પરંતુ આ પેટી માત્ર નામની તથા વ્યવસ્થાના ભાગ રૂપે મુકવામાં આવતી હોય તેવું જ થયું છે. કોઈ વિદ્યાર્થી આ પેટીમાં કોઈપણ પ્રકારનું સાહિત્ય મુકતો નથી.

વિદ્યાર્થી કોપી કરતાં પકડાય તો તેની સામે પગલાં લેવાય છે
જયારે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી કોઈ સાહિત્ય કે કોઈ કાપલી સાથે પકડાય ત્યારે તેની સામે કોપી કેસ કરીને પગલા લેવામાં આવે છે.આ સંજોગમાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીને સાંભળીને બાદ તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે.પરંતુ આ અગાઉ જ બોર્ડ દ્વારા કેન્દ્ર પર સુચના પણ આપવામાં આવે છે અને પાશ્ચતાપ પેટી પણ મુકવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો