પેટમાં દુઃખે તો તરત જ કરો આ ઘરગથ્થુ ઉપાય, દવા વિના જ મટી જશે દુખાવો, ખાવા પીવામાં રાખો ખાસ ધ્યાન. જાણો અને શેર કરો

અત્યારે ચોમાસામાં પેટ અને પાચનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. ખોધેલો ખોરાક બરાબર પચતો ન હોવાથી કે પછી આચરકુચર ખાવાથી ઘણાં લોકોને પેટમાં દુખાવો થાય છે અને તે વધી જાય છે. તો આ સમસ્યા માટે બેસ્ટ ઉપાય જાણી લો.

ઘરેલૂ ઉપાયોથી દવા વિના મટાડો પેટનો દુખાવો
પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે. ખરાબ ખાનપાન અને અન્ય કોઈ હેલ્થ પ્રોબ્લેમને કારણે ઘણાં લોકોને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે. જેને ઠીક કરવામાં માટે ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો અને જો તેનાથી પણ ફરક ન પડે તો ડોક્ટરને બતાવવું જોઈએ. પણ શું તમે જાણો છો કે પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય તો કેટલીક વસ્તુઓ ખાવાનું અવોઈડ કરવું જોઈએ, નહીં તો તમારી સમસ્યા વધી શકે છે અને પેટમાં દુખાવો મટવામાં પણ વધુ સમય લાગી શકે છે. તો ચાલો આજે જાણી લો પેટમાં દુખાવાની સમસ્યામાં શું ન ખાવું.

પેટમાં દુખે તો આ વસ્તુઓ ન ખાતા

મસાલેદાર ખોરાક
પેટમાં દુખાવો થતો હોય એવામાં મસાલેદાર ખોરાક ખાવામાં આવે તો પેટમાં બળતરાની સમસ્યા પણ થઈ શકે છે અને તેના કારણે પેટ દર્દ પણ વધી શકે છે.

પ્રોસેસ્ડ ફૂડ
પ્રોસેસ્ડ ફૂડ સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક હોય છે અને પેટમાં દુખાવાની સમસ્યા રહેતી હોય અને એવામાં જો તમે પ્રોસેસ્ડ ફૂડ ખાઓ તો તેમાં રહેલાં કેમિકલ્સ તમારા પેટને વધુ નુકસાન કરી શકે છે અને પેટનું દર્દ પણ વધારી શકે છે.

એસિડવાળા ફૂડ્સ
એસિડિક ફૂડ્સ જેમ કે પાઈનેપલ, નારંગી અને ટામેટાં વગેરેનું સેવન પેટ દર્દની સમસ્યામાં કરવું નહીં. કારણ કે તેનાથી પેટ દર્દની સમસ્યા વધી શકે છે.

કેફીનથી દૂર રહેવું
પેટમાં દુખાવો થતો હોય ત્યારે ચા, કોફી, ગ્રીન ટી, આલ્કોહોલ વગેરે કેફીનવાળી વસ્તુઓથી દૂર રહેવું નહીં તો પેટમાં દુખાવાની સમસ્યા વધી શખે છે.

હાઈ ફાયબર
પેટમાં દુખાવો થતો હોય ત્યારે હાઈ ફાયબર ફૂડ્સ ખાવાથી ટોયલેટ લાગે છે અને તેના કારણે પેટમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. જેથી આ સમયે લાઈટ ખોરાક જ ખાવો.

દવાઓ વિના આ ઉપાયથી મટાડો દુખાવો
આદુ ગુણોનો ખજાનો છે. આદુમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેથી જો તમારી પેટ ખરાબ હોય કે પેટમાં દુખાવો રહેતો હોય તો આદુ ઔષધીનું કામ કરે છે. તમે જમ્યા પહેલાં એક ટુકડો આદુ ખાઈ શકો છો અથવા તો પેટમાં દુખે ત્યારે આદુના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય છે.

પેટના રોગો માટે વરિયાળી બેસ્ટ માનવામાં આવે છે. એટલે જમીને મુખવાસમાં વરિયાળી ખાવામાં આવે છે. વરિયાળી પેટ દર્દ, પેટમાં ગેસ, પેટમાં બળતરા, પેટમાં સોજાની સમસ્યાને ખતમ કરે છે. તમે વરિયાળીની ચા બનાવીને પી શકો છો. પેટ દુખે ત્યારે એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળીને પી લો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો