હિન્દુ-મુસ્લિમ એક્તાની મિશાલ જોવા મળી: લોકડાઉનમાં સંબંધીઓ ન આવ્યા તો મુસ્લિમોએ અર્થીને આપી કાંધ, રામ નામ સત્ય બોલતા આપ્યો અગ્નિદાહ

આખા વિશ્વમાં કોરોના વાયરસનો ડર ફેલાયેલો છે. લોકડાઉનના સમયમાં લોકો પોતાના ઘરોમાં રહે છે. કોરોનાનો ભય એટલો છે કે કોઈના મોત બાદ કાંધ આપવા માટે ચાર લોકો પણ મળતા નથી. આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બુલંદશહેરમાં જોવા મળ્યો છે. જોકે આ દરમિયાન હિન્દુ-મુસ્લિમ એક્તાની મિશાલ જોવા મળી હતી. અહીં એક હિન્દુના મોત બાદ તેમના પુત્રો સાથે અર્થીને કાંધ આપવા માટે કોઈ આવ્યું નહીં. કેટલાક મુસલમાનો આવ્યા અને તેમણે અર્થીને કાંધ પણ આપી અને સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરાવ્યો હતો.

બુલંદશહરના આનંદ વિહારમાં રવિશંકરનું ઘર છે. રવિશંકરનો પરિવાર ખુબ જ ગરીબ છે. તેમનું ઘર જે વિસ્તારમાં છે ત્યાં મુસ્લિમ વસ્તી વધારે રહે છે. શનિવારે તેમનું મોત થયુ્ં હતું. રવિશંકરના પુત્રોએ સંબંધીઓ અને દોસ્તો અને આસપાસના લોકોને પિતાના મોતનો સંદેશો મોકલ્યો હતો પરંતુ જોકે, કોઈ આવ્યું નહીં. રવિ શંકરના મોતથી દુઃખી પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ હતી. અર્થીને કાંધ આપવા માટે અને સ્મશાન સુધી લાશને પહોંચાડવા માટે કોઈ ન્હોતું.

થોડા સમય પછી રવિશંકરના ઘરમાં મોહલ્લાના કેટલાક મુસ્લિમ લોકો પહોંચ્યો હતા. અને તેમના પરિવારને દિલાસો આપ્યો હતો. મુસલમાનોએ અર્થી તૈયાર કરાવી, કાંધ આપીને રવિશંકરને કાળી નદી સ્થિત સ્મશાન ઘાટ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં રામ નામ સત્ય પણ બોલવા લાગ્યા હતા.

મુસલમાનોએ સ્મશાનમાં દાહ સંસ્કારની પણ તૈયારી કરાવી હતી. રવિ શંકરના પુત્રને મુખ્ય અગ્નિદાહ આપ્યો હતો. દરમિયાન તે બધા સાથે રહ્યા હતા. સ્મસાનમાં બધી ક્રિયા પુરી કરાવ્યા બાદ રવિશંકરના પુત્ર સાથે ઘરે પાછા આવ્યા હતા. તેમણે દુઃખી પરિવારની જેમ મદદ કરવાનું આશ્વાશન પણ આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો