15 વર્ષથી રાજકોટના નિવૃત્ત અધિકારી ઘરે ઘરે જઈને અબોલ જીવ માટે રોટલા એકઠા કરે છે

વૈષ્ણવ જન તો તેને કહીએ રે પીડ પરાઈ જાણે રે… આ ઉક્તિને રાજકોટમાં રહેતા અને નિવૃત્ત બેન્ક કર્મચારી મનુભાઈ મેરજાએ સાર્થક કરી છે. અબોલ જીવ ભૂખ્યું ન રહે તે માટે મનુભાઇ મેરજા રોજ 50 થી વધુ ઘરે જઈને રોટલા, રોટલી અને ચણ એકત્રિત કરે છે. દૂરના છેવાડા સુધીના અબોલ જીવ ભૂખ્યા ન રહે તે માટે તેઓ 25 કિમી દૂર જઈને કૂતરાં, ગાયને ખવડાવે છે અને આ કામગીરી પત્યા બાદ જ તેઓ ભોજન લે છે.

25 કિમી દૂર જઈને ગાય કૂતરાંને, પક્ષીને પોતાના હાથે જ ખવડાવ્યા બાદ જ પોતે જમે છે.

મુકેશભાઈ મેરજા પહેલા દર અગિયારસે અબોલ જીવ માટે લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને આ રકમમાંથી તેઓ ગાયો માટે લીલું ખરીદતા અને તે શહેરમાં કે પોતાના ઘરની નજીકની ગાયોને ખવડાવતા હતા. આ દરમિયાન તેઓ સંતોના સંપર્કમાં આવ્યા અને તેના વિચારોમાં પરિવર્તન આવ્યું અને નક્કી કર્યું કે, તેઓ રોજ અબોલ જીવોને ખોરાક આપશે અને ત્યારથી રોજે રોજ ગાયો માટે લીલું એકત્રિત કરવાનું શરૂ કર્યું. જે પરંપરા આજે પણ ચાલુ છે.

મનુભાઈ રોજ 100થી વધારે રોટલી અને 60થી વધારે રોટલા એકત્રિત કરે છે. જે કાલાવડ રોડ, ન્યારી ડેમ આગળ જઇને પોતાના હાથે જ ગાયો અને કૂતરને ખવડાવે છે. મનુભાઇ મેરજા જણાવે છે કે, આજે તે જે કાંઈ કામગીરી કરે છે તેના માટે પરિવારજનોનો સાથ સહકાર ખૂબ જ મળે છે. તેના વગર કાંઈ કરી શકે તેમ નથી, સાથે તેઓ માનવકલ્યાણ મંડળ સાથે પણ જોડાયેલા છે. 15 વરસમાં તેઓએ એક પણ વખત આ ક્રમ તોડ્યો નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો