ફળોના ભાવ ઉંચા જતાં મોરબીના ઉદ્યોગકારે સિવિલમાં દાખલ દર્દીઓ માટે આંધ્રપ્રદેશથી 35 હજાર કિલો નારિયેળ, 10 હજાર કિલો સંતરા મગાવ્યા, વિનામૂલ્યે વિતરણ કરશે

મોરબીમાં અત્યારે કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વધુ એક વખત મોરબીના સેવાભાવી ઉદ્યોગકાર અને તેમની ટીમ મોરબીવાસીઓની મદદ માટે આવ્યા છે.

વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે

મોરબીમાં હાલ લીલા નારિયેરનો ભાવ 100 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. ત્યારે 120 થી 140 રૂપિયા પ્રતિ કિલોએ વેચાણ થઈ રહ્યું છે. ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓ માટે ફળો ખરીદવા અઘરું થઈ પડ્યું છે. આવા પરિવારો માટે મોરબીના ઉદ્યોગકાર અજય લોરીયા ફરી એક વખત મેદાને આવ્યા છે. અજયભાઈએ 35000 લીલા નારીયેર તથા 10000 કિલોગ્રામ સંતરા મંગાવ્યા છે. જેમાંથી હાલ 3500 નાળિયેર અને 1200 કિગ્રા સંતરા આવી ગયા છે. હાલમાં જિલ્લાના મોરબી, વાંકાનેર અને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે લીલા નારીયેર તથા સંતરાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

વધુ નારિયેળ-સંતરા આવશે

આ અંગે તેમણે કહ્યું હતું કે, નારીયેર આંધ્ર પ્રદેશ અને માંગરોળથી જ્યારે સંતરા નાગપુર અને રાજકોટથી મંગાવેલા છે. હજુ વધુ નારીયેર કાલે આવશે એટલે હોસ્પિટલ ઉપરાંત કોરોના કેર સેન્ટરમાં પણ વિનામૂલ્યે અપાશે.લીંબુના ભાવ પણ ખૂબ વધારે હોવાથી એક્ટિવ સેવા ગ્રુપના એલીશભાઈ ઝાલરીયાએ રાહત દરે લીંબુનું વિતરણ શરૂ કર્યું છે. જેમાં તેમણે 400 કિગ્રા લીંબુનું વિતરણ કરી નાખ્યું છે. હજુ બીજા 600 કિગ્રા લીંબુનું વિતરણ કરાશે. તેઓ પોતાની ટીમ સાથે વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો