હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું, નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. તેમજ નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે તેવું ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. તેમજ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ તેવું જણાવ્યું છે. તથા કોઈને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરીશ તેમ પણ જણાવ્યું છે.

નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે
તેમજ પાસપોર્ટ ઓફિસમાં પણ જેટલો સમય હોય તેટલા જ વ્યક્તિઓને બોલવામાં આવે અને કમગીરી કરવામાં આવે તે પણ જણાવ્યું છે. તથા કોઈને હેરાન કરવામાં આવશે તો કાર્યવાહી કરીશ તેમ પણ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરત પોલીસ દ્વારા “ભવિષ્ય” કેન્દ્ર શરૂ કરાયુ છે. જેમાં સુરત પોલીસ પરિવારના દીકરા દીકરીઓ માટે આ કેન્દ્ર કારકિર્દી માટે પ્રેરણા આપનારુ બની રહેશે. રાજ્યના ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ કેન્દ્રનું લોકાર્પણ કરાયુ હતું. કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન ચલાવી લેવામાં આવશે નહીં.

ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશઃ હર્ષ સંઘવી
તેમજ ગૃહ રાજ્યમંત્રીએ સુરતમાં “ભવિષ્ય” કેન્દ્રના લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું હતું કે, નાગરિકો સાથે ગેરવર્તન નહીં ચલાવી લેવામાં આવે. પાસપોર્ટ કે સામાન્ય કામ માટે પોલીસ સ્ટેશન આવતા લોકો સાથે કોઈપણ ગેરવર્તન કરશે તો તેની સામે પગલાં ફરજો અને જો કોઈ ઉચ્ચ અધિકારીઓ પગલાં નહીં ભરે અને ફરિયાદ મારા સુધી પહોંચી તો તે ઉચ્ચ અધિકારી સામે પગલાં ભરાશે. સાથે તમામ પોલીસ અધિકારીઓને ફૂટ પેટ્રોલિંગ વધારવાની સૂચના આપી છે. સોસાયટીમાં જાગૃતિ લાવવા માટે પેટ્રોલિંગ વધારવાનું અભિયાન શરૂ કરાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો