પર્યાવરણ બચાવવા માટે આ પરિવારે કરી અનોખી પહેલ લગ્નની કંકોત્રી ન છપાવી અને 400 લોકોને છોડ આપી નિમંત્રણ આપ્યું

પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા લાવવા માટે ભોપાલના એક પરિવારે લગ્નમાં કંકોત્રીને બદલે કૂંડા પર વર-વધુનું નામ અને જગ્યા લખીને 400 લોકોને આમંત્રણ આપ્યું. આ કૂંડામાં અલગ અલગ પ્રકારના છોડ હતા જેને આઠ મહિના પહેલાં જ લગાવ્યા હતા.

ભોપાલના તુલસી નગરમાં રહેનાર રાજકુમાર કનકનેના દીકરા પ્રાંશુનાં લગ્ન 20 નવેમ્બરનાં હતાં. પહેલા પરિવારે વિચાર્યું કે લગ્નના કાર્ડ આપવામાં આવે પણ ત્યારે ઘરના મોટા દીકરા પ્રતીકે કહ્યું કે આપણે લગ્નના નિમંત્રણમાં એવું કરીએ જેથી લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય. પરિવારે આઠ મહિના પહેલા લાગેલ છોડના કૂંડા પર નામ છપાવીને સૌને નિમંત્રણ આપવાની વાત પરર સહમતી જતાવી.

વિચાર એવો જ હતો કે લોકો કાર્ડ લઈને ભૂલી જાય છે પરંતુ જો આ છોડ તેમના ઘરમાં હશે તો અમારા પરિવારના આ ખાસ પળને હંમેશાં યાદ રાખશે. પ્રતીકે જણાવ્યું કે અમે કંકોત્રી ન છપાવી. ભોપાલમાં ઓળખીતાઓ અને સંબંધીઓને 400 છોડ આપી નિમંત્રિત કર્યા અને બહારગામના સંબંધીઓને વોટ્સએપ પર આમંત્રણ આપી લગ્નમાં આવવા કહ્યું. આ પ્રયોગ ઘણો સફળ રહ્યો અને લોકોએ તેના ઘણા વખાણ કર્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો