આજનો શ્રવણ કુમાર! કોરોના સંક્રમિત પિતાની સારવાર માટે જરૂરી દવા આખા શહેરમાં ક્યાંય નહોતી, દીકરો બીજા રાજ્યમાં જઈને લઈ આવ્યો

કોરોના વાયરસે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખની નજીક છે. કોવિડ-19ની કોઈ ખાસ રસી કે દવા ન હોવાથી ડોક્ટર્સ અન્ય દવાઓથી દર્દીની સારવાર કરી રહ્યા છે. પરિણામે માર્કેટમાં તે દવાઓની અછત સર્જાવા પામી છે. ચેન્નઈમાં કોરોનાથી પીડિત એક વ્યક્તિ માટે જરૂરી દવા નજીકમાં ક્યાંય ન મળતા દીકરો 1000 કિમી ડ્રાઈવ કરીને લાવ્યો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આખા શહેરમાં કોઈ જગ્યાએ ન મળી દવા

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસની રિપોર્ટ મુજબ, ચેન્નઈમાં જોએલ પિન્ટો નામની વ્યક્તિના પિતા કોરોના સંક્રમિત હતા. તેમની સારવાર માટે ડોક્ટરે તેને Tocilizumab દવા લાવવા કહ્યું. જોકે 28 વર્ષના પિન્ટોને જાણવા મળ્યું કે આ દવાની શહેરમાં છેલ્લા 15 દિવસથી અછત છે અને તે દરેક મેડિકલ સ્ટોર પર આઉટ ઓફ સ્ટોકમાં છે. Tocilizumab તે દવા બળતરા ઓછી કરવા માટે જરૂરી છે અને તેને એક જ મેન્યુફેક્ચરર બનાવે છે. આ દવાની કિંમત 75000 રૂપિયાથી લઈને 95000 રૂપિયા વચ્ચે હોય છે.

દવા વિના કોરોના સંક્રમિત પિતાની સારવાર મુશ્કેલ

જોએલે કહ્યું, ડોક્ટરે મને શરૂઆતમાં કહ્યું કે તેઓ દવાની વ્યવસ્થા કરશે અને બે દિવસમાં તે ડિલિવર થઈ જશે. બાદમાં તેમણે મને કહ્યું કે દવા આવશે કે નહીં તેના વિશે તેઓ સ્પષ્ટ નથી. મેં શહેરમાં તમામ ફાર્મસીનો સંપર્ક કર્યો અને સોશિયલ મીડિયા પર પણ રિક્વેસ્ટ કરી. જોએલના પિતાને બે વર્ષ પહેલા ફેફસાનું ઈન્ફેક્શન થયું હતું. આ દવા બળતરા ઓછી કરવા માટે જરૂરી છે. તે કહે છે, હું દવા ન શોધી શક્યો, મને સમજાયું કે મારી જેમ ઘણા અન્ય લોકો પણ પોતાના પ્રિયજનોને બચાવવા માટે Tocilizumab દવા શોધી રહ્યા હશે. ડોક્ટર્સે મને કહ્યું કે, સમય નીકળી રહ્યો છે. જો થોડું પણ મોડું થશે તો ટ્રિટમેન્ટ શક્ય નહીં બને. મેં તે સમયે જે ડરનો અનુભવ કર્યો તેને હું વર્ણવી શકું તેમ નથી.

કાર લઈને ચૈન્નઈથી હૈદરાબાદ પહોંચ્યો

ઘણા ફાર્માસિસ્ટને કોલ કર્યા બાદ જોએલને માલુમ પડ્યું કે તે આ દવાને હૈદરાબાદની ફાર્મસીમાંથી મેળવી શકે છે, પરંતુ ત્યાંથી દવા ચેન્નઈ આવતા ત્રણ દિવસનો સમય લાગી શકે છે. થોડોપણ સમય વેડફ્યા વિના જોએલે ફાર્માસિસ્ટને 92 હજાર રૂપિયા એડવાન્સમાં ચૂકવ્યા અને ઈ-પાસ માટે એપ્લાય કર્યું. તેની પાસે હોસ્પિટલનો પત્ર હોવાથી 45 મિનિટમાં જ તેને ઈ-પાસ મળી ગયો. જોએલ કહે છે, મેં મારી કાર લીધી અને હૈદરાબાદ માટે નીકળી ગયો. હું મંગળવારે બપોરે 1 વાગ્યે ત્યાં પહોંચ્યો અને મને દવા મળી ગઈ. મને રાહત થઈ. ટૂંક સમયમાં હું ચેન્નઈ માટે પાછો રવાના થયો અને મંગળવારે રાત સુધીમાં ઘરે પહોંચી ગયો.

દવા મળ્યા બાદ પિતાની સારવાર શરૂ થઈ

ડોક્ટર્સે દવાથી તેના પિતાની સારવાર શરૂ કરી દીધી છે અને તેના પરિવારને આશા છે કે તેઓ ઝડપથી રિકવર થઈ જશે. જોએલે કહ્યું કે, સરકાર અને હોસ્પિટલોએ જરૂરી દવાનો વધારે સ્ટોક રાખવો જોઈએ, જેથી લોકોના જીવ બચી શકે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ઘણા સંતાનો મા-બાપને ઘરમાંથી હાંકી કાઢતા હોય છે ત્યારે જોએલ આજના સમયનો શ્રવણ કુમાર બનીને સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો