15 હજાર ફૂટની ઊંચાઈ પર લટકેલા સાથીને બચાવવા મેજર પંકજે પોતાનો જીવ આપી દીધો, પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મહોલિયા શિવપાર વિસ્તારમાં રહેતા પંકજ પાંડે સેનામાં મેજર તરીકે ફરજ બજાવતા હતા. અરૂણાચલ પ્રદેશના તંબોલા ખાતે ફરજ પર હતા ત્યારે તેમનો એક સાથી જવાન 15 હજારની ખાઈ પર લટકી રહ્યો હતો, તે ખાઈમાં પડવાનો હતો કે તેને બચાવવા માટે મેજર પંકજ પોતે ખાઈમાં પડી ગયા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મેજરને ગુવાહાટીની એક હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહોલિયા શિવપાર વિસ્તારમાં રહેતા વેપારી અવધેશ પાંડેને બે પુત્ર છે. જેમાં મોટા દીકરા તરીકે પંકજ અને નાના દીકરા તરીકે આશિષ પાંડેનો સમાવેશ થાય છે. પંકજ ભારતીય સેનામાં મેજરના પદ પર તૈનાત હતા અને હાલ અરૂણાચલ પ્રદેશના તંબોલમાં ડ્યૂટી પર હતા. પિતા અવધેશે જણાવ્યું કે, 19 જુલાઈની બપોરે તેમને ફોન આવ્યો કે, એક અકસ્માત થયો છે, જેમાં તેમના પુત્ર પંકજને ગંભીર ઈજાઓ થઈ છે. જાણ થતાં જ પિતા આશિષ સાથે ગુવાહાટી હોસ્પિટલ પહોંચ્યા હતા.

સાથી 15 હજાર ફૂટ પર લટકતો હતો
ગુવાહાટી હોસ્પિટલ પહોંયા બાદ ત્યાં તેમના પુત્ર પંકજની રેજિમેન્ટ બી શીખના અધિકારીઓએ જણાવ્યું કે 19 જુલાઇની સવારે આશરે 15 હજાર ફીટ પર એક સાથી ખાઈમાં પડી રહ્યો હતો, જેને પંકજે બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન તે અને તેમના સાથી ખાઈમાં પડી ગયા હતા. ઘણા પ્રયાસો બાદ બંનેને બચાવી લેવામાં આવ્યા હતા.

પોતે શહીદ થઈ ગયા
શહીદના પિતાએ જણાવ્યું કે પંકજને નીચે ખાઈમાં પડ્યા બાદ તેમના માથા અને ગળામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમના સાથીને પણ ઈજાઓ થઈ હતી. બંનેને ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પંકજનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે તેના સાથીની સારવાર ચાલી રહી છે અને તે જોખમથી બહાર છે. શનિવારે મેજર પંકજના પાર્થિવ દેહને મેઈન યુનિટ અસમ લેખાપાની ખાતે સૈન્ય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પિતા અવધેશે ફોન પર જણાવ્યું હતું કે પંકજે પ્રારંભિક શિક્ષણ સીતાપુરમાં કર્યું હતું. વર્ષ 2008માં પંકજની પસંદગી સીડીએસમાં થઈ હતી. તાલીમ દહેરાદૂનમાં થઈ અને ત્યારબાદ હિમાચલ અને આસામમાં જ પોસ્ટિંગ થઈ હતી.

પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા
પંકજના લગ્ન પાંચ વર્ષ પહેલા જ કંચન સાથે થયા હતા. તેમને એક દોઢ વર્ષની દીકરી અરુ પણ છે. પતિ શહીદ થયા હોવાની જાણ થતાં પત્નીની હાલત ખરાબ છે. તેમના મૃત્યુની માહિતી બાદ તે પરિવારના બાકીના સભ્યો સાથે ગુવાહાટી જવા રવાના થયા હતા. મળતી માહિતી મુજબ પંકજની અંતિમ સંસ્કાર ગુવાહાટીમાં કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો