અમદાવાદમાં ભાજપ યુવા મોર્ચાનાં યુવાને ઘરમાં એકલતાનો લાભ લઈ દિવ્યાંગ નોકરાણી પર આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં વધુ એક ભાજપ નેતાનું નામ દુષ્કર્મકાંડમાં ખૂલ્યું છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં રહેતા અને ભાજપ યુવા મોર્ચા સાથે સંકળાયેલાં એક યુવાને ઘરમાં કામ કરવા આવતી નોકરાણી પર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતમા વાત કરીએ તો, અમદાવાદના બાપુનગરમાં રહેતી મહિલા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મહિલા છ ટકા દિવ્યાંગતા ધરાવતી હોવાથી તેનાં લગ્ન 10 વર્ષ પહેલાં એક પ્રજ્ઞાચક્ષુ સાથે થયાં હતાં. લગ્નજીવન દરમિયાન બે સંતાનની માતા બનેલી મહિલા ઘરનું ગુજરાન ચલાવવા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના ઘરે કચરાં-પોતાનું કામ કરતી હતી. મહિલા છેલ્લા બે વર્ષથી બાપુનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અંકુર ઉર્ફે જોજી યોગેશભાઈ શર્માના ઘરે પણ કચરાં-પોતું કરવા જતી હતી.

દિવાળીના તહેવારોમાં મહિલા તેમના ઘરે સાફ-સફાઈ કરવા ગઈ ત્યારે અંકુર ઘરમાં એકલો જ હતો. એકલતાનો લાભ લઈ અંકુરે મહિલાનું મોઢું દબાવી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાના પર થયેલા અત્યાચાર મામલે મહિલાએ કોઈને જાણ કરી ન હતી. પણ દુષ્કર્મની એ અમાનુષી ઘટનાને કારણે મહિલા સતત ઉદાસ રહેતી હતી. જેને કારણે તેની સાસુએ વધુ પુછપરછ હાથ ધરતાં મહિલાએ સાસુમાને સમગ્ર આપવીતી વર્ણવી હતી. જે બાદ પરિવારના સપોર્ટ બાદ મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો