મહુવાના વેપારીની જાહેરાત, તેલંગાણા દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર કરનારા પોલીસ કર્મીઓને રૂ.1 લાખનું ઈનામ

તેલંગાણા દુષ્કર્મ કેસમાં ચાર આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા છે. આ ઘટનાનું ગુજરાતમાં પણ સ્વાગત થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આ પોલીસ કર્મીઓને ભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલ દ્વારા રૂ.1 લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. આ ઘટનાથી તેઓ પોલીસ પર ગર્વ અનુભવી રહ્યા છે. રાજભા ગોહિલ મુજબ, હું હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરીશ. હું મહુવામાં રહું છું. આજે મને ગર્વ થાય છે, દેશની બહેન-દીકરીઓને જે સન્માન આપ્યું છે, તેથી હું મારા દેશની પોલીસને એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરૂ છું. આ રકમ હું હૈદરાબાદ જઇને પોલીસને આપીશ. જે કાર્ય પોલીસ કર્યું છે તે સન્માનને લાયક છે તેમજ કાયદો અને વ્યવસ્થાનું સન્માન કરૂ છું. મારી દેશની બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું પોલીસ કાર્ય કરે તે માટે હું હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરીશ. જય હિન્દ….

સમગ્ર ગુજરાતમાં ઉજવણીનો માહોલ

તેલંગાણા દુષ્કર્મના આરોપીઓને પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવ્યા હોવાના અહેવાલો આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ફટાકડા ફોડીને અને મીઠાઈઓ વેચીને ખુશીઓ વ્યક્ત કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો