લોકડાઉનને કારણે બીડી-તમાકુના બંધાણીને માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યુવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજાએ કબૂલાત કરી હતી. યુવાન હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજા રાજુભાઈએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સુરેશભાઈ એટલે કે, કાકાને માનસિક તકલીફ છે, તેની દવા પણ ચાલે છે અને એ સિવાય તેઓને આવા સમયમાં તમાકુને બીડી ન મળતા તકલીફ વધી ગઈ હોય એવું લાગ્યું હતું. હાલ પોલીસ ચોપડે તમાકુ અને બીડીથી આવું કર્યું તેવી નોંધ કરી નથી પરંતુ પરિવારના લોકો આવું કારણ પણ જણાવે છે, અને સાથે માનસિક તકલીફ હોવાનું પણ જણાવી રહ્યા છે.

હાલના સમયમાં વ્યાસનીઓ માટે ખુબ તકલીફભર્યા દિવસો છે જેને કારણે તમાકુ, બીડી, સિગરેટ સહિતના વ્યાસન ન હી મળતા લોકોની માનસિક સ્થિતિ પણ બગડી રહી છે, અનેક મનોચિકિત્સક તેમજ અન્ય સર્વેમાં વ્યસનીઓ ને લઇ અનેક સર્વે આવ્યા હતા અને વ્યસનની વસ્તુઓ એટલેકે પણ, બીડી, સિગરેટ, તમાકુ સહિતના વ્યસનની વસ્તુઓને લોકડાઉન દરમ્યાન વેચાણ કરવાની છૂટ માટે પણ જણાવવામાં આવ્યું હતું.

જોકે હાલના સમયમાં પાનના ગલ્લા બંધ હોવાથી લોકો તેનાવ્યસનની વસ્તુઓ પણ નથી લઇ રહ્યા જ્યાં આવી વસ્તુઓ મળે છે તેની કાળાબજારીઓ પણ થઇ રહી છે અને આવી વસ્તુઓ એક, બે નહિ પણ દસ થી વીસ ગણી મોંઘી વેચાણ થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો